લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં EVMમાં ગડબડીની આશંકાને લઇને અરજી કરાઈ છે. આ અરજીમાં 50 ટકા VVPAT કાપલીઓને EVM સાથે મેચ કરવાની માગ કરવામાં આવી છે.
ત્યારે આ મામલે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે,આ અરજી ચંદ્રબાબૂ નાયડૂ, કે.સી વેણુગોપાલ, શરદ પવાર અને અરવિંદ કેજરીવાલ તથા અખિલેશ યાદવ સહિત વિપક્ષના 21 નેતા દ્વારા કરવામાં આવી છે. આમ 21 વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઇવીએમ અને વીવીપીએટીમાંથી 50 ટકાનું નિરીક્ષણ કરવાની માગ કરવામાં આવી છે.
આ અરજી દાખલ કરનારાઓમાં શરદપવાર, કેસીવેણુગોપાલ, ડેરેક ઓબ્રાન, શરદ યાદવ, અખિલેશ યાદવ, સતીશ ચંદ્ર મિશ્રા, એમકેસ્ટાલિન, ટીકે રંગરાજન, મનોજકુમાર ઝા, ફારૂખ અબ્દુલ્લા, એએ રેડ્ડી, કુમાર દાનિશ અલી, અજીત સિંહ, મોહમ્મદ બદરુદ્દીન અજમલ, જીતન રામ માંઝી, પ્રો. અશોક કુમાર મિશ્ર વગેરે સામેલ છે.