કોરોના મહામારી વચ્ચે દેશમાં અનેક કોરોનાગ્રસ્ત વિસ્તારો એવા પણ હતા, જ્યાં લૉકડાઉનનો કડક અમલ કરાવવા માટે કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસોથી લાગુ કરફ્યુ હવેથી હટાવી દેવામાં આવ્યો છે. શુક્રવારે સવારે આ ત્રણેય શહેરોમાંથી હવે લૉકડાઉન યથાવત રહેશે. એટલે કે જરૂરી કામકાજ માટે અથવા સામાન લેવા માટે લોકો ઘરની બહાર નીકળી શકશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના આ ત્રણ જિલ્લાઓમાં કોરોના વાઈરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હતો. જે બાદ વહીવટી તંત્રએ સખ્તી વધારવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યના એકલા અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના 1500થી વધુ કેસો સામે આવી ચૂક્યાં છે. જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું અને તકેદારીના ભાગરૂપે શહેરના કો વિસ્તારમાં કરફ્યૂનું એલાન કર્યું હતું.
અમદાવાદ ઉપરાંત રાજકોટના જંગલેશ્વર સહિત સુરતના કેટલા વિસ્તારોમાં પણ જ્યાં કોરોનાની સૌથી વધુ અસર હોય, ત્યાં કરફ્યુ લાગૂ કરવામાં આવ્યો હતો. રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા જણાવ્યું છે કે, કરફ્યૂ દૂર થશે છતાં લોકો ખુલ્લેઆમ ફરી નહીં શકે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ હોવાથી નાગરિકોએ સરકારના જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.