મહારાષ્ટ્રના પાલઘરમાં એક મોટી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓને લઇ જતી બોટ દહાનુની પાસે અરબસાગરમાંં ડુબી ગઇ છે. અકસ્માતમાં 4 બાળકોના મોત થવાની માહીતી મળી છે. બોટમાં કુલ 40 વિદ્યાર્થી સવાર હતા. જેમાંથી અત્યાર સુધીમાં 32ને સલામત બચાવવામાં આવ્યા છે, જ્યારે 4 મૃતદેહો મળી આવ્યા છે. બાકી રહેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. પાલઘર જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે બોટમાં કુલ 40 બાળકો હતા. જહાજ ડૂબ્યાના સમાચાર મળતા અફરા-તફરી મચી ગઇ છે. સ્થાનિક માછીમારની મદદથી બાળકોને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ સ્થાનિક બાબુભાઈ જુનિયર કોલેજમાં અભ્યાસ કરે છે. સ્થાનિક ફિશરોના બૉટથી મદદ કરીને રેસ્યુક્સ ઑપરેશન શરૂ કરવામાં આવે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ પણ બાળકોને બચાવવા માટે જોડાયા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.