નવી દિલ્લી તા 20 : આવનારી ચૂંટણી માટે ના દરેક પ્રચાર માં સરકાર માત્ર ને માત્ર એક જ રટણ કરી રહી છે ભલે પછી તે આરબીઆઈ ના ગેવર્નર હોય કે પોતે પ્રધાનમંત્રી હોય નોટબંધી પુરી તૈયારી થી કરવામાં આવી હતી અને માત્ર પ્રજા ને 30 તારીખ સુધી રાહ જોવા ની જરૂર છે તમારી બધી જ તકલીફ દૂર થઇ જશે પણ શું સાચે માં જ નોટબંધી પુરા નિર્ણય થી લેવા માં આવી હતી પ્રજા ને દરરોજ સરકાર દ્વારા કોઈ ક નવા નિર્ણય સાથે ચોંકાવી દે છે માત્ર 41 દિવસ માં 36 નિર્ણયો બદલ્યા છે જયારે નોટ ને જમા કરાવાના માત્ર ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નોટબંધી ને લઇ ને હજુ પણ કઈ ક નવા નિર્ણય બહાર આવાની શક્યતા છે આ રીતે રોજ નવા નિર્ણય બહાર પાડી ને શું સરકાર ની પુરી તૈયારી નોહતી કે સરકાર પોતે જ હવે ગૂંચવાઈ રહી છે રોજ નવા નિર્ણય સાથે પ્રજા ની હાલાંકી માં સતત વધારો થયો કરી દીધો છે થોડા સમય પેહલા વેનેઝુએલા માં થયેલી નોટબંધી માં માત્ર થોડા જ દિવસ ની હાલાકી માં સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો જયારે આજે ભારત માં નોટબંધી માં 80 લોકો ના મૃત્યુ થયા છે અને હજુ વર્તમાન સ્થિતિ માં પણ લોકો ની તકલીફ માં કોઈ સુધારો નથી જયારે એક તરફ લોકો ની પાસે લાખો કરોડો ની નવી ચલણી નોટ મળી આવે છે ત્યાં એક તરફ સામાન્ય જનતા ને દૈનિક 2000 રૂપિયા ના પણ વાંધા છે.સામાન્ય માણસ કલ્લાકો સુધી લાઈન માં ઉભા રહીને તકલીફ વેઠી રહ્યા છે જાહેરાત સમયે સરકાર ની ધારણા હતી કે 14.95 લાખ કરોડ ની રદ્દ થયેલી રકમમાંથી લગભગ 5 લાખ કરોડ જમા થશે નહિ પણ જે રીતે રોકડ જમા થઇ રહી છે આ દર્શાવે છે કે દેશ માં કાળુંનાણું છે જ નહિ.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.