આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Aviation Ministry) કોરોના રોગચાળા (Corona Crisis) વચ્ચે 78 નવા હવાઇ માર્ગો (air route) ને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ‘ઉડાન’ (Udan Scheme) યોજનાનો આ ચોથો તબક્કો – ‘ઉડાન-4.0’ (Udan-4.0) (fourth phase) છે. દેશના દૂરના વિસ્તારો સાથે જોડાણ વધારવા માટે નવા રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે.
તેમાં ઉત્તર પૂર્વના રાજયો અને પર્વતનો વિસ્તાર (north east states – hill stations) મુખ્ય રીતે શામેલ છે. ગુવાહાટીથી તેજુ, રૂપસી, તેજપુર, પેસીઘાટ, મીસા અને શિલોંગ જવાના માર્ગ સાથે ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લોકો આ ઉડાન-4.0 રૂટ હેઠળ હિસારથી ચંદીગઢ, દહેરાદૂન અને ધર્મશાળા જવા માટે સમર્થ હશે. વારાણસીથી ચિત્રકૂટ અને શ્રાવસ્તી સુધીના માર્ગોને પણ મંજૂરી આપવામાં આવી છે. લક્ષદ્રીપના અગતી, કવરતી અને મિનિકોય ટાપુઓ પણ UDAN 4.0 ના નવા રૂટો દ્વારા જોડાયેલા છે.
આ માર્ગો માટે ત્રણ સફળ રાઉન્ડની બોલી લગાવાયા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક અને ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી (Hardeep Singh Puri) એ ટિ્વટ કર્યુ છે કે કુલ 18 દુર્લક્ષ એરપોર્ટ્સ (ignored airports) ને દિલ્હી (Delhi), કોલકાતા (Kolkata) અને કોચી (Kochi) જેવા મેટ્રો શહેરો (Metro cities) સાથે જોડવામાં આવશે. અત્યાર સુધી આવા કુલ 766 રૂટ પર એરલાઇનને મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનાનો હેતુ ઉત્તર પૂર્વ અને પર્વતીય વિસ્તારો સુધી એર સેવાઓ પહોંચવાનો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જોઇન્ટ સેક્રેટરી ઉષા પાધેએ ટ્વીટ કર્યું છે કે એરલાઇન્સના ઉત્સાહના આધારે ‘ઉડાન’ યોજનાના ચોથા રાઉન્ડના પહેલા તબક્કામાં 78 નવા રૂટને મંજૂરી આપવામાં આવી રહી છે.