ભારતના 63 વ્યક્તિઓ સાઉદી અરેબિયામાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ભારતના 63 વ્યક્તિઓમાંથી ભાવનગરના કુલ 8 અને ગુજરાતના કુલ 14 વ્યક્તિઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે.
સાઉદી અરેબિયામાં આવેલ SSCI અને દુબઈમાં A&p ના નામે રજિસ્ટર કંપનીમાં ભારતના તમામ 63 લોકો ફસાયા છે. ભાવનગરના ઘોઘા ગામના 7 અને ગુજરાતના 7થી 8 અને કુલ મળીને ભારતના 63 વ્યક્તિઓ સાઉદી અરેબિયામાં ફસાયા છે.
સાઉદ અરેબિયાની કંપનીએ વર્ક પરમીટ રીન્યુ ના કરતા ઘોઘાના 7 અને કુલ ગુજરાતના 14 વ્યક્તિઓ મળીને ભારતના કુલ 63 લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. સાઉદ અરેબિયામાં રહેતા ઘોઘાના 7 લોકો અને ગુજરાતના કુલ 14 અને ભારતના 63 લોકોએ ભારતીય એમ્બેસીમાં વારંવાર રજુઆત કરવા છતાં ભારત સરકાર તરફથી આ લોકોને પરત લાવવાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.