ચુંટણી નજીક આવી રહી છે અને ભારતમાં સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર સૌથી મહત્ત્વનો માધ્યમ બની ગયો છે એક રિપોર્ટના અનુસાર, વોટ્સએપ ઉપર મતદાતાઓને પોતાની તરફી ખેંચવા માટે લગભગ ૮૭,૦૦૦થી વધુ વોટ્સએપ ગ્રૂપ સક્રિય થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે, અત્યારે વોટ્સએપ પ્રચારનો મુખ્ય માધ્યમ બની ગયો છે. વોટ્સએપના અનુસાર મંથલી ર૦ કરોડથી પણ વધુ એક્ટિવ યુઝર ભારતમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતાએ છે કે આ નંબરોને ફેબ્રુઆરી ર૦૧૭ સુધી પાછા કરવામાં આવી ગયા છે.
હોંગકોંગ સ્થિત કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના અનુસાર, ભારતમાં અત્યારે લગભગ ૪૩ કરોડથી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો છે. વર્ષ 0216ના અંત સુધીમાં ભારતમાં 28થી 30 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એસોસિએટ ડાયરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું કે દરેક ઉંમરના લોકો વોટ્સએપ પર એક્ટિવ છે. તે કહી શકાય કે દેશમાં 30 કરોડ લોકો તેનો યુઝ કરે છે. આ આંકડો ફેસબુક યુઝર્સ જેટલો કે તેનાથી વધુ પણ હોઇ શકે છે.
એક વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ 256 યુઝર્સ સામેલ છે. આ રીતે 87 હજાર ગ્રુપ દ્વારા સીધા 2.2 કરોડ યુઝર્સ સુધી ડાયરેક્ટ પહોંચી શકાય છે. જો એક યુઝર આ મેસેજને પાંચ ગ્રુપમાં ફોરવર્ડ કરે તો આ પ્રકારે એક મોટા ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકાય છે.