ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 6 વર્ષથી ભાગેડુ જાહેર થયેલો વ્યક્તિ આધાર કાર્ડ દ્વારા પકડમાં આવી ચૂક્યો છે. ધરપકડ કરાયેલા વ્યક્તિને મુંબઈમાં તેના મિત્રની હત્યાના મામલામાં આજીવન કેદની સજા થઈ હતી. પરંતુ તે ફરાર થઈ ગયો હતો. મંગળવારે બુલંદશહેર પહોંચેલી મુંબઈ પોલીસ તેને પકડીને પોતાની સાથે લઈ ગઈ.
મુંબઈના ભોઈવાડા દાદર પોલીસ સ્ટેશનના એસઆઈ દિલીપ બંસલે સિકંદરાબાદ વિસ્તારની પોલીસને જણાવ્યું કે ભરાના નિવાસી સતીશ કુમાર પર આરોપ હતો કે તેણે 2009માં પોતાના જ મિત્ર અમરની હત્યા કરી નાખી. આ મામલામાં મુંબઈની સ્થાનિક અદાલતમાં ચાલી રહ્યો હતો. મામલાની સુનાવણી પુરી થયા બાદ કોર્ટે સતીશને આજીવન કેદની સજા સંભળાવી હતી.
આરોપી સતિષને જેલ મોકલવામાં આવ્યો હતો. જેલમાં રહેવા દરમિયાન તે 2012માં બીમાર થયો હતો. તેને જેલથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તે રસ્તામાં પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધવા માટે તેના ગામે પણ પહોંચી હતી. પરંતુ ઘર બદલી નાખવાના કારણે તેને શોધી શકી નહોતી. ખૂબ શોધખોળ બાદ સતીશ ન મળ્યો તો પોલીસે તેને મૃત માનીને કેસ બંધ કરવાની તૈયારી કરી લીધી.આ દરમિયાન સતીશનો કેસ બંધ થઈ ગયો અને તે ગામડે પાછો આવી ગયો. અહીંયા તેને આધાર કાર્ડ બનાવવા માટે અરજી કરી. આ દરમિયાન મુંબઈ પોલીસને તેની જાણ થઈ અને બુલંદશહેર પહોંચીને સતીશની ધરપકડ કરી લીધી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.