નવી દિલ્હી : ભારતના રમકડાં બજારમાં ચીનનું વર્ચસ્વ ખતમ થવા જઇ રહ્યું છે. હકીકતમાં, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હવે સ્વદેશી રમકડાં બનાવવા પર ભાર મૂકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે.
બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારતીય રમકડાંનું ઉત્પાદન વધારવાની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં ઘણા જૂથો અને હજારો કારીગરો છે જે દેશી રમકડા બનાવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ જે દેશી રમકડા બનાવે છે તેમાં સાંસ્કૃતિક લગાવ જ નથી, પરંતુ નાની વયે બાળકોમાં જીવન-કૌશલ્ય અને માનસિક કુશળતાના વિકાસમાં પણ મદદ મળે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવા જૂથોને નવી રીતે પ્રોત્સાહન આપવામાં આવું જોઈએ.
Toys can be excellent ways to further the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat.’ We must look at ways India’s civilisational greatness can be showcased through the toys that are made in our country. A vibrant toys sector will further our dream of an Aatmanirbhar Bharat.
— Narendra Modi (@narendramodi) August 22, 2020
વડાપ્રધાન મોદીએ સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને રમકડા ક્ષેત્રે નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ આ અંગે હેકાથોનનું આયોજન કરી શકે છે. વડાપ્રધાન મોદીએ પર્યાવરણને અનુકૂળ રમકડા બનાવવા પર પણ ભાર મૂક્યો છે.