સીબીઆઈ વિવાદ મામલે ધરણા કરી રહેવા મમતા બેનર્જીએ આઠ ફેબ્રુઆરી સુધી ધરણા શરૂ રાખવાની જાહેરાત કરી છે. 8 ફેબ્રુઆરી બાદ ધરણા શરૂ રાખવામાં આવશે પરંતુ માઈકનો ઉપયોગ કરવામાં નહીં આવે. કેમ કે, પશ્વિમ બંગાળમાં આઠમી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. મમતાએ સંબોધન દરમિયાન જણાવ્યું કે, ભાજપે લોકતંત્રને બદનામ કરવાનું ષડ્યંત્ર રચ્યું. વિપક્ષ ભાજપનો વિરોધ કશે તો તેની વિરૂદ્ધ સીબીઆઈ એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. ભાજની સામે ટીએમસી ઝુકવાની નથી.
સરકારની તમામ કામ ધરણા સ્થળેથી જ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, મમતા બેનર્જીન આરોપ છે કે, પીએમ મોદી અને અમિત શાહ બંને મળીને પશ્ચિમ બંગાળમાં તખ્તાપલટનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ ચોર પાર્ટી છે. અને જાણી જોઇને બંગાળને બરબાદ કરવા માટે લાગેલી છે. મમતાએ કહ્યું હતું કે મારી રેલી બાદથી કેન્દ્ર સરકાર મારી પાછળ પડી છે.