એર ઈન્ડિયા દ્વારા 20 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાથી સંક્રમિત થ.યેલા કર્મચારીઓના પરિવારજનોને લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીના કર્મી કોવિડથી સંક્રમિત થઈ ચુક્યાં છે. કેટલાક આ મહામારીના ચાલતા મોતને પણ ભેટી ચુક્યાં છે. તેના પરિવારોના હિતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પરિવાર કે તેના ઉત્તરાધિકારીને વળતર આપવાનો નિર્ણ કર્યો છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે, કોવિડ-19ના ચાલતા જીવ ગુમાવનાર સ્થાયી કર્મચારીઓના પરિવારો કે તેના ઉત્તરાધિકારીઓને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાનું તેમજ કામ કરનરાઓ માટે રૂપિયા 5-5 લાખ અને એક વર્ષ સુધી સતત કામ કરનારા અસ્થાયી કર્મચીઓના પરિવારજનોને 90 હજાર રૂપિયા દેવામાં આવશે. પરિપત્ર અનુસાર કોન્ટ્રાક્ટર અથવા સેવા પ્રદાતાના માધ્યમથી કામ કરનારા લોકોના પરિવારોને કે તેમના ઉત્તરાધિકારીઓને બે મહિનાના કુલ વેતન બરાબર રકમ ચુકવવામાં આવશે.