Air India Flight Suspension અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય: 3 વિદેશી શહેરોની સેવાઓ સ્થગિત, 16 રૂટ પર ઘટાડો
Air India Flight Suspension અમદાવાદ વિમાન દુર્ઘટનાની ઘટનાઓ અને પછી ઉદભવેલી ટેકનિકલ ખામીઓ બાદ એર ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સેવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ તેની વાઇડબોડી ફ્લાઇટ્સમાં 15% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને કેટલાક વિદેશી રૂટ્સ માટે સર્વિસ પણ રદ કરવામાં આવી છે. આ નિર્ણય 20 જૂનથી 15 જુલાઈ સુધી અમલમાં રહેશે.
આ 3 વિદેશી શહેરોમાં હવે ઉડાન નહીં ભરાય
એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે નવી સમયગાળામાં દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન (ગેટવિક) અને ગોવા-લંડન (ગેટવિક) રૂટ પર ફ્લાઇટ્સ હાલ માટે બંધ રહેશે. આ સિવાય ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને દૂરસ્થ પૂર્વના વિવિધ શહેરોને જોડતા કુલ 16 આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઓછી કરવામાં આવી છે.
મુસાફરોને ફિડબેક અને રિફંડ વિકલ્પ
ગુરુવારે એર ઇન્ડિયાએ જાહેર માફી માગતાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી ઘણા મુસાફરો પ્રભાવિત થયા છે. કંપનીએ તમામ મુસાફરોનો સંપર્ક કરી તેમને નવી પસંદગી મુજબની ફ્લાઇટ બુકિંગની તક આપવાનું શરૂ કર્યું છે. જો મુસાફરો ઇચ્છે તો તેમને સંપૂર્ણ રિફંડ પણ આપવાની યોજના છે.
વિમાનો માટે રિઝર્વ પ્લાન પણ તૈયાર
ટેકનિકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ અપાતી સેવાઓમાં વિશ્વસનીયતા માટે રિઝર્વ એરક્રાફ્ટ રાખવાની વ્યવસ્થા પણ કરી છે. તે જણાવ્યું છે કે કોઈપણ અણધારી વિક્ષેપ કે તાત્કાલિક સ્થિતિમાં આ વિમાનોનો ઉપયોગ કરી શકાશે.
Further to the press statement released yesterday, 18 June 2025, which announced a temporary reduction in services operated by Boeing 787 and 777 aircraft, we wish to provide details on the flights affected.
These reductions will be effective from 21 June 2025,…
— Air India (@airindia) June 19, 2025
સંકટ ટાળવા એર ઇન્ડિયાની તૈયારી
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છેલ્લાં કેટલાક દિવસોમાં એર ઇન્ડિયાના વિમાનોમાં નોંધાયેલી ટેકનિકલ ખામીઓ છે. દુર્ઘટનાની ઘટનાઓ બાદ એરલાઇનને આ વ્યવસ્થાઓમાં સુધારો કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાએ જણાવ્યુ છે કે “અમે અમારી સેવાઓમાં વિશ્વસનીયતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં વધુ મજબૂત વ્યવસ્થાઓ સાથે પાછા ફરીશું.”