Air India Plane Crash AI-171 ફ્લાઈટ દુર્ઘટના: કેન્દ્ર સરકારે રચી ઉચ્ચ સ્તરીય સમિતિ, ત્રણ મહીનામાં રિપોર્ટ આપશે
Air India Plane Crash અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ઘનઘોર દુર્ઘટનાનું ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ક્રેશ થઈ હતી. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાંથી 241નાં મોત થયા છે. માત્ર એક યાત્રિક, વિશ્વાસ કુમાર રમેશ, જીવિત બચી ગયો છે. તેમનું કહેવું છે કે તેઓ હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે તેઓ જીવિત બચી ગયા.
આ દુર્ઘટનાને લઈને દેશભરમાં ચિંતા પ્રસરી છે. કેન્દ્ર સરકારે તરતજ કાર્યવાહી કરતાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિને આગામી ત્રણ મહિનામાં પૂરી તપાસ કરીને તેની વિગતો સહિતનો અહેવાલ સોંપવાનો રહેશે.
સમિતિમાં વિવિધ શાખાઓના અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઘોષિત સમિતિમાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સ્તરના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ગૃહ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA), ભારતીય વાયુસેના, સુરક્ષા બ્યુરો (BCAS), ગુજારત સરકારના અધિકારીઓ, અમદાવાદ પોલીસ કમિશનર, ફોરેન્સિક ડિરેક્ટર સહિત અનેક ક્ષેત્રોના નિષ્ણાતો સામેલ છે.
આ સમિતિ દુર્ઘટનાના તમામ પાસાઓની તપાસ કરશે – ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કોકપીટ વોઇસ રેકોર્ડર, વિમાનની જાળવણી સંબંધિત દસ્તાવેજો, ATC લોગ, અને સાક્ષીઓની જુબાનીઓ જેવી વિગતોનું વિશ્લેષણ કરવામાં આવશે. સાથે સાથે કોકપીટ ક્રૂ, એર ટ્રાફિક કંટ્રોલ અને અન્ય સંબંધિત કર્મચારીઓની પૂછપરછ પણ થશે.
વિશ્વસ્તરે સહયોગ અને ભવિષ્ય માટે માર્ગદર્શિકા
જો વિમાનમાં વિદેશી નાગરિકો અથવા વિમાન નિર્માતા કંપનીનો કોઈ ભાગ રહ્યો હોય, તો સમિતિ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે પણ સહયોગ કરશે.
આ ઉપરાંત, સમિતિ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય તે માટે હાલની Standard Operating Procedures (SOP) અને નીતિઓમાં સુધારાની ભલામણ પણ કરશે.