ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન (Farmers Protest)ના એક વર્ષના અંતે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરી દીધા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે પોતાના હાથ પાછા ખેંચતા આપણને બતાવ્યું છે કે, સારા ઉદ્દેશ્યને પૂરા કરનારા અને ખુબ જ જરૂરી લાગતા કાયદાઓ પણ વિશ્વાસની અછતના કારણે આશંકાના દાયરામાં આવી જાય છે.
પાછલા વર્ષે જૂનમાં જ્યારે કોવિડ મહામારીના કારણે અવર-જવર અને સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો તે દરમિયાન કેન્દ્ર સરકારે એગ્રી ટ્રેડિંગ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને સ્ટોક હોલ્ડિંગ પર આધારિત ત્રણ કૃષિ કાયદાઓને વટહુકમ દ્વારા લાગૂ કરી દીધા હતા. સરકારે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદીય ચર્ચા અથવા પાર્લિટમેન્ટ્રી સ્ટ્રેન્ડિંગ કમેટીના રેફરન્સ વગર જ આ કાયદાઓને લાવવાનો નિર્ણય કર્યો હતો. સરકાર જે કહે છે (સબ કા સાથ સબ કા વિકાસ) તેના વિપરીત જઈને તેમને કહ્યું કે, દાયદાઓને પસાર કરવામાં જે ઉતાવળ કરવામાં આવી, તેનાથી તેમની નિયત શંકાના દાયરામાં આવી ગઈ.
ખેડૂતો દ્વારા જે સુધારાની માંગ કરવામાં આવી રહી હતી તેની કાયદેસરતા કાયદાને પરત ખેંચી લેવાથી ઓછી ન થઈ શકે. ઉત્તર-પશ્ચિમના જે ખેડૂતો આજે કૃષિ ચળવળની સફળતાની ઉજવણી કરી રહ્યા છે, તેઓ ફરીથી એ જ મુદ્દાઓ પર પરત ફરશે. કાયદાઓ રદ કરવાને બદલે તેમનામાં સુધારાઓની જરૂરત છે. જો વડાપ્રધાને એક પ્રધાન સેવકની જેમ કામ કર્યું હોત અને વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે સંપર્ક કર્યો હોત તો કદાચ આ કાયદાઓને બચાવી શકાયા હોત.
માર્કેટ સિસ્ટમમાં સુધારાની જરૂર છે
રેગ્યુલેટેડ માર્કેટ સિસ્ટમમાં ફેરફારની જરૂરિયાત પર લાંબા સમયથી ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેની તરફેણમાં એક નહીં પરંતુ અનેક પક્ષોએ પોતાનું સમર્થન આપ્યું છે. કૃષિ માર્કેટિંગ અથવા કૃષિ વિવરણ એ રાજ્યનો વિષય હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા 2003માં રાજ્યોને પસાર કરવા માટે એક મોડેલ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મોટા ભાગના રાજ્યો કેટલીક મર્યાદાઓ અને અપવાદો સાથે તેની સાથે સંમત થયા હતા. પરિણામે 2010માં મનમોહન સિંહ સરકારમાં કૃષિ પ્રધાન શરદ પવારે કૃષિ માર્કેટિંગને કેવી રીતે મુક્ત કરી શકાય તે અંગે સલાહ આપવા માટે રાજ્યના કૃષિ પ્રધાનોની એક સમિતિની રચના કરી. આ સમિતિનું નેતૃત્વ મહારાષ્ટ્રના સહકાર મંત્રી હર્ષવર્ધન પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
આ સમિતિએ જાન્યુઆરી 2013માં એક અહેવાલ સુપરત કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ મેળવવા માટે કમિશન એજન્ટોને દુકાનો અથવા ગોડાઉન રાખવા જરૂરી હોવાથી નિયંત્રિત બજારો કૃષિ વેપારમાં અવરોધ બની ગયા છે. આમાંની ઘણી મંડીઓ પાસે આંગણા (યાર્ડ) માટે મર્યાદિત જગ્યા હતી, જેના કારણે તેઓ તેમના વેરહાઉસને વિસ્તારવામાં અસમર્થ હતા. સમિતિએ એમ પણ કહ્યું હતું કે વેપારીઓ અને કમિશન એજન્ટો (દલાલો) પોતાને સંગઠનો તરીકે સ્થાપિત કરે છે અને નવા આવનારાઓને આ ક્ષેત્રમાં પ્રવેશવા દેતા નથી.
કમિશન એજન્ટો ઈચ્છતા નથી કે કોઈપણ પ્રકારનો ફેરફાર થાય. તેઓ નાના-મોટા કામમાંથી જ મોટી કમાણી કરી લે છે. દાખલા તરીકે પંજાબના કમિશન એજન્ટોને આ વર્ષની શરૂઆતમાં ખરીદેલા ઘઉંમાંથી રૂ. 652 કરોડનું કમિશન મળ્યું હતું. મંડી બોર્ડને રાજકારણીઓએ પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. સત્તાવાળાઓ સાથે મીલિભગત કરીને તેઓ સેસ દ્વારા ઊભા કરાયેલા નાણાં ઉપર કબજો કરી લે છે. આ જ કારણ છે કે મંડી બોર્ડની ચૂંટણી જોરશોરથી લડવામાં આવે છે.
સ્થિતિ એવી છે કે મંડી યાર્ડની બહાર પણ જો તેમના અધિસૂચિત વિસ્તાર, જે એક બ્લોક અથવા જિલ્લો હોઈ શકે છે. ત્યાં કૃષિ વ્યાપાર કરવામાં આવે છે તો સેસ અને લેવી વસૂલતે છે. પંજાબમાં ત્રણ ટકા યાર્ડ ઉપકર (સેસ) અને ત્રણ ટકા ગ્રામીણ વિકાસ શુલ્ક લગાવવામાં આવે છે.
કૃષિ સુધારાઓ વિવિધ તબક્કામાં અથવા ભાગોમાં લાગુ કરી શકાતા નથી. તેઓ સમૂહ અથવા પેકેજ તરીકે હોવા જોઈએ. પ્રતિ હેક્ટર ત્રણ ટનની સરેરાશ ઉત્પાદકતા ધરાવતી ભારતીય મકાઈ પ્રતિ હેક્ટર 11 ટન ઉપજ આપતી યુએસ મકાઈ સાથે સ્પર્ધા કરી શકે? આનુવંશિક રીતે સંશોધિત મકાઈ અને સોયાબીન અમેરિકામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં આ ટેક્નોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ છે.
ITC કંપની જે આશીર્વાદ બ્રાન્ડ તરીકે લોટનું વેચાણ કરે છે, તેણે મંડીની સેવાઓ ન લીધી અને મંડીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ પણ કર્યો નહતો. તે છતાં આ કંપનીએ તેના કપુરથલા કેન્દ્રમાં ખરીદેલ ઉત્પાદનો માટે 6% ની વસૂલાત ચૂકવવી પડી હતી.
ત્રણ કાયદાના અમલીકરણ પછી પંજાબ સરકારે વસૂલાતમાં ઘટાડો કર્યો. આનાથી તે સંગઠિત લોકોને નુકસાન પહોંચ્યુ જેઓ સેસમાંથી બચી શકતા નહતા. જોકે, હવે ત્રણ કૃષિ કાયદા રદ્દ કરી દેવામાં આવ્યા છે. તો પછી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાને લઈને સરકાર શું જવાબ આપશે?
કદાચ સરકારે જવાબ આપવાની જગ્યાએ ખેડૂતોને વિજળી કે ટેકાના ભાવમાં સુધારો કરવી આપવો જોઈએ. તો બીજી તરફ યુરિયા જેવા ખાતર અને પાકોના બિયારણ સસ્તા ભાવે મળી રહે તેવી સુવિધા ઉભી કરી આપવી જોઈએ. તો મનરેગા હેઠળ ગામે-ગામ મજૂરો પાસે ખાડા ખોદાવવામાં આવી રહ્યાં છે તેની જગ્યાએ તેનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં કામ કરે તેવી સિસ્ટમ ઉભી કરવી જોઈએ. આ સુધારાઓ ગ્રાઉન્ડ સ્તરના ગણી શકાય, તે સિવાય ખેડૂતોની આવક અને પાકમાં વધારો લાવવા માટે વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવીને ખેતી ક્ષેત્રે સુધારા કરવાની જરૂરત છે.