પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 9,216 નવા કેસ નોંધાયા છે. જ્યારે 391 લોકોના મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.35% છે. છેલ્લા 24 કલાકમાં 8,612 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,40,45,666 લોકો સાજા થયા છે.
દૈનિક પોઝિટિવીટી રેટ 0.80% છે. સાપ્તાહિક પોઝિટિવીટી રેટ 0.84% છે. જે છેલ્લા 19 દિવસથી 1 ટકાથી નીચે છે. અત્યાર સુધીમાં કુલ 125.75 કરોડ રસીકરણ કરવામાં આવ્યું છે.
દક્ષિણ આફ્રિકામાં કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન મળ્યા બાદ ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. હવે આ વેરિઅન્ટ ભારતમાં પહોંચી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. તેમાંથી એક ભારતીય નાગરિક છે અને બીજો દક્ષિણ આફ્રિકાનો છે.
ભારતીય નાગરિકમાં 21 નવેમ્બરે લક્ષણો (તાવ અને શરીરમાં દુખાવો) નોંધાયા હતા. બીજા દિવસે તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના નાગરિકમાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.