મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં શુક્રવારે થયેલી તોડફોડ પછી ચાર દિવસ માટે કર્ફ્યૂની જાહેર કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટિલે રવિવારે અમરાવતી હિંસા પર એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે ચાર દિવસો માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
ભ્રામક સમાચારો ના ફેલાય તે માટે ઈન્ટરનેટ પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગૃહમંત્રી દિલીપ પાટિલે કહ્યું કે, અમે નિશ્ચિત રીતે આ બાબતે તપાસ કરીશું. અમે તે રેલીઓની પણ તપાસ કરીશું જે સંભવત: ત્રિપુરામાં થયેલી ઘટનાના આધાર પર મહારાષ્ટ્રમાં કાઢવામાં આવી. અમે આ ઘટનાઓમાં થયેલા નુકશાનનું પણ આંકલન કરીશું.
ગૃહ મંત્રી પાટિલે કહ્યું કે, અમે હાલમાં તો નહીં પરંતુ તપાસ પછી નિશ્ચિત રીતે તે જણાવી શકીશું. તેના પાછળ ભલે રજા એકેડમી હોય અથવા પછી કોઈ અન્ય, અમે નિશ્ચિત રીતે રેલી પાછળના હેતુની તપાસ કરાવીશું.