Smriti Irani: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની વિશે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલી ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે X પર કહ્યું કે જીત અને હાર જીવનનો ભાગ છે. હું દરેકને અપીલ કરું છું કે સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કોઈ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરો. કોઈનું અપમાન કરવું અને શરમ કરવી એ નબળાઈની નિશાની છે, મજબૂત હોવાની નહીં. તેમણે લોકોને આવું ન કરવાની અપીલ કરી છે.
તમને જણાવી દઈએ કે ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાની મોદી સરકારના પહેલા બે કાર્યકાળમાં મંત્રી રહી ચૂક્યા છે.
2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા બાદ તેમનું કદ નોંધપાત્ર રીતે વધી ગયું હતું. જો કે, 2024ની ચૂંટણીમાં તેમને કોંગ્રેસના ટોચના નેતૃત્વની નજીકના કિશોરી લાલ શર્મા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. નવી સરકારમાં તેમને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન પણ નથી મળ્યું.
Winning and losing happen in life.
I urge everyone to refrain from using derogatory language and being nasty towards Smt. Smriti Irani or any other leader for that matter.
Humiliating and insulting people is a sign of weakness, not strength.
— Rahul Gandhi (@RahulGandhi) July 12, 2024
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવું પડ્યું, ત્યારપછી તેમના પર સોશિયલ મીડિયામાં પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી છે.