Arvind Kejriwal સંજીવ અરોરાની જગ્યાએ કોણ જશે એ અંગે પાર્ટી લેશે નિર્ણય
Arvind Kejriwal દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે તેઓ પંજાબથી રાજ્યસભામાં જવાના નથી. 23 જૂનના રોજ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમને પુછવામાં આવ્યું કે શું તેઓ સંજીવ અરોરાની જગ્યાએ રાજ્યસભામાં જશે? જેના જવાબમાં તેમણે કહ્યું, “રાજ્યસભામાંથી કોણ જશે તે AAPની રાજકીય બાબતોની સમિતિ (PAC) નક્કી કરશે, પણ હું નથી જઈ રહ્યો.”
સંજીવ અરોરાની વિધાનસભામાં જીત
લુધિયાણા પશ્ચિમમાં યોજાયેલી પેટાચૂંટણીમાં સંજીવ અરોરાએ 35179 મતોથી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભારત ભૂષણ આશુને 24542 અને ભાજપના જીવન ગુપ્તાને 20323 મત મળ્યા હતા. સંજીવ અરોરાની આ જીત બાદ તેમની રાજ્યસભાની બેઠક ખાલી થશે, કારણ કે તેમણે ચૂંટણી દરમિયાન જ વચન આપ્યું હતું કે જીતે તો રાજ્યના મંત્રી બનશે.
અફવાઓ પર ફેરવિચારણાની જરૂર
AAPના નેતા સૌરભ ભારદ્વાજે સ્પષ્ટતા આપી હતી કે સંજીવ અરોરા એક લોકપ્રિય અને લોકલ ઉમેદવાર હતા અને તેમને વિધાનસભામાં મોકલવાનો નિર્ણય પસંદગીના આધારે હતો, કોઈ રાજકીય ખૂણાના ભાગરૂપે નહીં. તેમણે કહ્યું કે હવે જ્યારે રાજ્યસભાની બેઠક ખાલી થશે, તો પાર્ટી યોગ્ય ઉમેદવાર પસંદ કરીને મોકલશે.
ગુજરાત અને પંજાબમાં આપની જીત
પંજાબ ઉપરાંત ગુજરાતમાં પણ AAP માટે ખુશીની ઘડી રહી. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાએ 17554 મતોથી વિજય મેળવ્યો. ગુજરાતની રાજકીય રીતે મહત્વપૂર્ણ બેઠકોમાં જીત મળવી AAP માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.
મનિષ સિસોદિયાએ પંજાબમાં મળેલી જીત પર જણાવ્યું કે આ માત્ર ધારાસભ્યની જીત નથી, પણ ભગવંત માન સરકારના છેલ્લા ત્રણ વર્ષના કામો પર જનતાની મહોર છે. ગુજરાતમાં પણ ગોપાલ ઇટાલિયાની જીત જનતાની આશાઓ અને પાર્ટી પર વિશ્વાસ દર્શાવે છે.
ચિંતાનો વિષય નથી
રાજ્યસભાની ખાલી થનારી બેઠક અંગે અટકળો હવે અટકી ગઈ છે, કારણ કે અરવિંદ કેજરીવાલે ખુદ જ સ્પષ્ટતા આપી છે કે તેઓ તે સ્થાન માટે દાવેદાર નથી. પાર્ટી આગામી દિવસોમાં નવો ઉમેદવાર જાહેર કરશે.