Asaduddin Owaisi RAW અને ISI સાથે સહયોગની બિલાવલની વાત પર ઓવૈસીએ ફાટકાર લગાવી
Asaduddin Owaisi પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન અને પિપલ્સ પાર્ટી (PPP)ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીના સંયુક્ત રાષ્ટ્ર (UN) ખાતે આપેલા નિવેદન પર ભારે રાજકીય વાદ-વિવાદ સર્જાયો છે. બિલાવલે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારતની ગુપ્તચર એજન્સીઓ — RAW અને ISI — વચ્ચે સહયોગ શરૂ થાય તો દક્ષિણ એશિયામાં આતંકવાદ ઘટી શકે છે. આ નિવેદન પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કડક પ્રતિક્રિયા આપીને બિલાવલને “મૂર્ખ” ગણાવ્યા છે અને જણાવ્યું કે આ પ્રકારના તથ્યવિહીન નિવેદનો ભારત માટે અસહ્ય છે.
ઓવૈસીએ આપ્યો 26/11 અને પઠાણકોટ હુમલાનો ઉલ્લેખ
મિડિયા સાથેની વાતચીતમાં ઓવૈસીએ બિલાવલને યાદ અપાવ્યું કે મુંબઈ 26/11 હુમલા અને પઠાણકોટ એરબેસ હુમલા બાદ બંને દેશોની એજન્સીઓ વચ્ચે સંવાદ થયો હતો, પણ પરિણામ શૂન્ય રહ્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે પાકિસ્તાનના નેતાઓએ આતંકવાદીઓનો બચાવ કર્યો અને જમાત ઉદ દાવા નેતા ઝકીઉર રહેમાન લખવીને તો જેલમાં પુત્રનો પિતા બનવાની તક પણ આપી.
‘તમને એ સંગઠન પણ ખબર નથી કે જેમણે તમારી માતાની હત્યા કરી’
ઓવૈસીએ વધુમાં કહ્યું કે બિલાવલ ભુટ્ટોને તે સંગઠન વિશે પણ ખબર નથી જેણે તેમની માતા, બેનઝીર ભુટ્ટાની હત્યા કરી હતી. “થોડું આત્મમંથન કરો. પાકિસ્તાનમાં જ માતાની હત્યા થઇ, અને આજે તમે એજ એજન્સીઓને ભારત સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છો,” એમ ઓવૈસીએ જણાવ્યું.
પાકિસ્તાનના લશ્કરી કનેક્શન પર પણ ઉઠાવ્યા સવાલો
ઓવૈસીએ જણાવ્યુ કે પહેલગામ હુમલાની જવાબદારી લેનાર ઈમેઇલ પૈકી બે ઈમેઇલ પાકિસ્તાનના લશ્કરી છાવણી વિસ્તાર સાથે જોડાયેલા રહી શકે છે. તેમણે TRF (The Resistance Front) ને લશ્કર એ તોયબાની શાખા ગણાવી અને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્કને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
‘ટ્રમ્પએ કહ્યું ગોળીબાર બંધ, પરંતુ ભારતે કેમ નહીં?’
ઓવૈસીએ ભારતીય સરકારે યુદ્ધવિરામ અંગે સ્પષ્ટતા ન આપવાનો પણ ઉલ્લેખ કર્યો. “જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરે યુદ્ધવિરામ થયો હતો, ત્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાત જાહેર કરી હતી. ભારતના વડાપ્રધાન અને નેતાઓએ દેશમાં ખુલ્લેઆમ શું કહ્યું? શૂન્ય,” એમ તેમણે આરોપ મૂક્યો.
બિલાવલ ભુટ્ટાના તાલમેલના નિવેદન પર ઓવૈસીની પ્રતિક્રિયા માત્ર રાજકીય નહીં, પણ રાષ્ટ્રવાદી વલણ દર્શાવે છે. તેઓએ જણાવ્યું કે ભારતને હવે આતંકવાદી સંગઠનો સામે સખ્ત વલણ જ રાખવું પડશે અને ઇતિહાસમાંથી શીખ લઈ કોઈ મુલાયમ નીતિ અપનાવવી નહિ.