Assam Communal Tension રાજકીય તણાવ વચ્ચે હિંદુ સમુદાયના પક્ષમાં સીએમ શર્માનું નિવેદન
Assam Communal Tension આસામમાં તાજેતરમાં બનેલી કોમી ઘટનાઓ રાજકીય વિવાદનું કેન્દ્ર બની છે. ખાસ કરીને ગૌરવ ગોગોઈ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર લગાવવામાં આવેલા આરોપો સામે રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કડક પ્રતિસાદ આપ્યો છે. ગોગોઈએ કહ્યુ હતું કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આરએસએસ સાંપ્રદાયિક લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
“ગૌમાસ ફેંકી કોમી તણાવ વધારવાનો પ્રયાસ”?
સીએમ શર્માએ સ્પષ્ટપણે કહ્યુ કે આવી ઘટનાઓ પાછળ હિન્દુઓનો હાથ હોવાનું કહી હિંદુ સમુદાયને નિશાન બનાવવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો ગૌરવ ગોગોઈ પાસે એ સાબિત કરવા જેવાં પુરાવા છે તો રજૂ કરે, નહિતર જાહેરમાં માફી માગે.
શર્માએ Congress પર તુષ્ટિકરણના રાજકારણનો આરોપ લગાવતાં કહ્યું કે આવા નિવેદનોનું હેતુ માત્ર સાંપ્રદાયિક ધ્રુવીકરણ છે.
ઘટનાઓમાં લઘુમતી સમુદાયનો સમાવેશ
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ગોલપરા અને ધુબરી જિલ્લામાં જે મંદિરો પાસે ગૌમાંસ ફેંકવાના કિસ્સા નોંધાયા છે, તેમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બધા લઘુમતી સમુદાયના છે. આથી હિન્દુઓ પર આરોપ મૂકવો નિષ્ઠુર અને તથ્યવિહોણો છે.
ઘટનાઓ સામે સરકાર સજાગ
શર્માએ વધુમાં ઉમેર્યું કે 8 જૂન ઈદના દિવસે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પશુ કતલ કરવામાં આવી હતી અને મંદિરો નજીક માંસના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. સરકાર આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે અને ધાર્મિક લાગણીઓ સાથે રમનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
આ મામલો માત્ર ધાર્મિક લાગણીઓનો જ નહીં પરંતુ રાજકીય જવાબદારી અને સામાજિક સુમેળનો પણ છે. સીએમ શર્માનો દાવો છે કે તથ્ય વિના હિન્દુ સમુદાયને નિશાન બનાવવું દોષારોપણ politics છે અને તે માટે જવાબદારી નક્કી થવી જોઈએ.