બિહારના વૈશાલી જિલ્લામાં સહદેવી રેલવે સ્ટેશન પાસે રવિવારે લગભગ ચાર વાગ્યે 12487 જોગબની- આનંદ વિહૈર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી જવાથી સાત લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી નિતીશ કુમારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનો સમક્ષ દુખ વ્યક્ત કર્યું હતું અને તેમને ધીરજ રાખવા જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
પોલીસ વિભૈગે જણાવ્યું હતું કે આ ઘટનામાં 24 લોકો ઘાયલ થયા છે અને સાત લોકોના મૃત્યુ થયા છે. હાલ આ તમામ ઘાયલ યાત્રીઓને સારવાર અર્થે જિલ્લાની હોસ્પિટલ અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટ્રેનના પાટામાં તીરાડવે કારણે આ દુર્ઘટના બની હો. શકે છે. રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ લાખ રુપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા યાત્રીઓને એક એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.