જમ્મૂ-કાશ્મીર પુલવામામાં CRPFના 2500 જવાનોના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં 40 જવાનોની શહીદ થયાની શ્યાહી હજી સુકાઈ પણ નથી ત્યાં અવળચંડા પાકિસ્તાને વધુ એક નાપાક હરકતને અંજામ આપ્યો છે. LoC નજીક વધુ એક બ્લાસ્ટ થયો છે.
LoCને અડીને આવેલા રાજૌરીમાં આજે શનિવારે બપોર બાદ વધુ એક વિસ્ફોટ થયો છે. જેમાં સેનાના એક મેજર શહીદ થયા છે. આમ પુલવામા હુમલાને હજી 72 કલાક જેટલો પણ સમય નથી થયો ત્યારે આતંકીઓએ વધુ એક ઘટનાને અંજામ આપ્યો છે
અગાઉ ગત ગુરૂવારે બપોરે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં.