આજે દેશમાં પ્રથમ વાર પોતાના અધિકારો અને બિઝનેસના રક્ષણને લઇને સાત કરોડ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને ભારત બંધમાં જોડાશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ અને રિટેલમાં વિદેશી રોકાણ વિરુદ્ધ આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સાથે-સાથે આજે ઓનલાઇન દવાના વેચાણને રેગ્યુલર કરવાના કેન્દ્રના પગલા વિરુદ્ધ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા પણ તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વોલમાર્ટ અને એમેઝોન જેવા મલ્ટિનેશનલ દિગ્ગજોને પાછલા દરવાજેથી પ્રવેશ આપીને સરકાર નાના વેપારીઓનું પ્રતિનિધિત્વ ખતમ કરવા માગે છે એવો કેટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ફેડરેશનનું કહેવું છે કે રિટેલ સેક્ટરમાં એફડીઆઇ આવવાથી વેપારીઓ અને દુકાનદારોની આજીવિકા સામે જોખમ ઊભું થયું છે. કેટના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે સીલિંગ રોકવા માટે વટહુકમની માગણીને લઇને પણ આજે દિલ્હીના બજારો બંધ રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.