લદાખ સરહદે ચીન દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલા પછી ભારતમાં ચીનનો બહિષ્કાર મુદ્દો ઉઠ્યો છે, જેની પર ચિદંબરમનુ કહેવુ છે કે ભારતે બને એટલુ જલ્દી આત્મનિર્ભર બનવુ જોઇએ, પરંતુ બાકી દુનિયા સાથે સંબંધ ખતમ ન કરવો જોઇએ. ભારતે ચીની સામાનનો બહિષ્કાર નથી કરવાનો તેણે વૈશ્વિક સપ્લાય ચેઇનનો હિસ્સો બની રહેવુ પડશે. ચિદંબરમનુ કહેવુ છે કે ચીન સાથે ભારતના જે વેપારી સંબંધ છે એ ચીનના વૈશ્વિક વેપારનો એક હિસ્સો છે, આથી ચીની સામાનના ભારતમાં બહિષ્કાર કરવાથી ચીનને કોઇ નુકસાન થવાનું નથી. વર્તમાન સમયમાં સુરક્ષા મહત્વનો મુદ્દો છે, બહિષ્કાર જેવા મુદ્દા હાલ ન આવવા જોઇએ.
બીજી તરફ સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટતા કરી હતીકે ભારતીય સરહદમાં કોઇ ઘૂસી આવ્યુ નથી, તેમના આ નિવેદન પર કોંગ્રેસ સતત તેમની સામે સવાલ ઉભા કરી રહી છે. કોંગ્રેસનુ માનવુ છે કે પીએમ મોદીનુ નિવેદન અને આ પહેલા સેના પ્રમુખ, રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીના નિવેદનો વિરોધાભાષી છે. ચિદંબરમે મોદી સરકાર સામે સવાલ કર્યો હતો કે ચીનનો કોઇ પમ સેનિક ભારતની સરહદમાં પ્રવેશ્યો ન હતો તો 5 અને 6 મેના રોજ અથડામણ કેમ થઇ હતી અને 5 અને 6 જૂન બંને સેનાના અધિકારીઓ વચ્ચે કયા મુદ્દે બેઠક યોજાઇ હતી.
ચિદંબરમ સહિત કોંગ્રેસના તમામ નેતા મોદી સરકારને લદાખ મુદ્દે ઘેરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પીએમ મોદી સામે સતત સવાલો કરી રહ્યા છે.