પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યા થતાં ભારે સનસનાટી મચી ગઇ છે,અતિક અહેમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસ અને મીડિયા ટીમની હાજરીમાં અતિક અને અશરફની ગોળી મારી હત્યા થઈ હતી.
વિગતો મુજબ પ્રયાગરાજના કોલ્વિન હોસ્પિટલની પાસે જ્યારે પોલીસની ટીમ અતીક અને અહેમદને લઈને જઈ રહી હતી તે સમયે અચાનક ત્રણ-ચાર હુમલાખોરો થાય પહોંચ્યા હતા અને મીડિયામાં નિવેદન આપી રહેલા અહેમદ અને અશરફ ઉપર નજીકથી ફાયરિંગ કર્યું હતું.
પોલીસે હુમલાખોરોને સ્થળ પર જ દબોચી લીધા હતા.
આ આખા હુમલો પોલીસ અને મીડિયાની સામે કરવામાં આવ્યો છે. બન્ને આરોપીઓ પર જ્યારે ફાયરિંગ થયું, ત્યારે આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે, જેનું નામ માન સિંહ છે. તેમને પણ સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હુમલાખોરો સ્થળ પરથી ભાગવાની જગ્યાએ શ્રી રામના નારા લગાવતા સામેથી જ સરેન્ડર કરી દીધું હોવાના અહેવાલ છે.