વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત ૨૦૨૦ સુધીમાં ૧૦ કરોડ નવા રોજગાર ઊભા થશે. આ દાવો નીતિ આયોગના ડાયરેક્ટર જનરલ- ડીએમઈઓ અને સલાહકાર અનિલ શ્રીવાસ્તવે કર્યો છે.તેમણે જણાવ્યું હતું કે આ યોજના અંગે લોકોમાં મોટી આશાઓ છે અને નોકરીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થશે તેમજ વિકાસમાં પણ વેગ મળશે. શ્રી વાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ચોથી ટેકનિકલ રિવોલ્યુશનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ અમે ૨૦૨૦ સુધીમાં ૧૦ કરોડ નવા રોજગાર ઊભા કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ.
‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોગ્રામના માધ્યમ દ્વારા સરકાર ઉત્પાદન સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આથી એવી આશા છે કે આગામી કેટલાક મહિનાઓમાં મોટી સંખ્યામાં નવી રોજગારોની તક મળશે. સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’ દ્વારા ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માગે છે.અામ, ૨૦૨૦ સુધીમાં મેક ઇન ઈન્ડિયા હેઠળ ૧૦ કરોડ નવી રોજગારીની તકો સાંપડશે

Indian Prime Minister Narendra Modi,

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.