સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ રવિવારે બેંકોને 1 જાન્યુઆરી 2020 બાદથી કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન પર લગાવવામાં આવેલા ચાર્જને પાછો આપવા જણાવ્યું હતું. આ માટે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.પરિપત્ર મુજબ સીબીડીટીને અનેક રજૂઆતો મળી હતી, જેમાં કહેવાયું હતું કે, યુપીઆઈ દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર બેંકો દ્વારા વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. યુપીઆઈમાં ચોક્કસ સંખ્યામાં ટ્રાન્ઝેક્શનને મફતમાં મંજૂરી આપવામાં આવે છે, પરંતુ તેનાથી આગળના દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવામાં આવે છે.પરિપત્રમાં ભારત સરકારના અન્ડર સચિવ અંકુર ગોયલે કહ્યું કે, આ પીએસએસ એક્ટની કલમ 10A તેમજ આઈટી એક્ટની કલમ 269 એસયુનું સરેઆમ ઉલ્લંઘન છે. આવા ઉલ્લંઘન આઇટી એક્ટની કલમ 271 ડીએસ અને પીએસએસ એક્ટની કલમ 26 હેઠળ શિક્ષાત્મક જોગવાઈઓ તરફ ઈશારો કરે છે.મોટાભાગની ખાનગી બેન્કો મહિનામાં 20થી વધુ વખત યુપીઆઈનો ઉપયોગ કરીને વ્યક્તિથી વ્યક્તિ ચુકવણી પર 2.5થી 5 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે. જો કે સરકારે આવા ચાર્જ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બેન્કરો એમ કહી રહ્યા છે કે તેમણે બનાવટી વ્યવહારોને સિસ્ટમ પર ખોટું બર્ડન અટકાવવા માટે આ ચાર્જ વસૂલવાનું ચાલુ કર્યું છે.1 ઓગસ્ટના એક રિપોર્ટ મુજબ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત ચેનલે જૂનમાં 2.61 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની જાણ કરી હતી, જે જુલાઈમાં વધીને 2.90 લાખ કરોડ થઈ ગઈ છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.