સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પારાદીપ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓને સંડોવતા લાંચના એક કથિત કેસમાં ઓરિસ્સા સ્ટીવેડોર્સ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. આરોપ છે કે પારાદીપ પોર્ટ ટ્રસ્ટના ચીફ મિકેનિકલ એન્જિનિયર સરોજ કુમાર દાસે તેના સહયોગી સુમંત રાઉત મારફત કંપની પાસેથી 60 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈની ટીમે રાઉત, દાસ, અન્ય વ્યક્તિ શંખ શુભ્ર મિત્રા અને ઓરિસ્સા સ્ટીવેડોર્સ લિમિટેડના ડીજીએમ સૂર્ય નારાયણ સાહુની ધરપકડ કરી હતી, જ્યારે 25 લાખની રકમ લાંચ તરીકે આપવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે દરોડા દરમિયાન સીબીઆઈએ 84.5 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે.