CDS Anil Chauhan નો ખુલાસો: પાકિસ્તાને 48 કલાક યુદ્ધ લડવા માંગતું હતું, પરંતુ ભારતે 8 કલાકમાં જ આત્મસમર્પણ કરી દીધું.
CDS Anil Chauhan ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અંગે એક ગંભીર અને ઐતિહાસિક ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને 48 કલાક સુધી યુદ્ધ લડવાની તૈયારી રાખી હતી, પરંતુ ભારતના નિયોજિત અને અત્યાધુનિક ડ્રોન હુમલાઓને લીધે માત્ર 8 કલાકમાં જ પાકિસ્તાન પોતાનું મનોબળ ગુમાવી ગયું અને આત્મસમર્પણ કરી દીધું.
આ નિવેદન માત્ર ભારત માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ સંદેશ લઈને આવે છે કે ભારત હવે માત્ર રક્ષણાત્મક નહીં પણ પ્રતિક્રિયાત્મક તાકાત ધરાવતું દેશ બની ગયું છે. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા અને 11 એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનનો ઔપચારિક સ્વીકાર
સીડીએસના નિવેદન બાદ પાકિસ્તાને પોતે આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવા માટે તૈયાર કરેલા ડોઝિયરમાં ભારતીય હુમલાની પુષ્ટિ કરી છે. તેઓએ કબૂલ્યું છે કે પેશાવર, ઝાંગ, હૈદરાબાદ (સિંધ), ગુજરાંવાલા, ભાવલનગર, અટોક, છોર સહિતના વિસ્તારોમાં ભારતીય હમીલાઓ થયા હતા. પાકિસ્તાનનો હેતુ માત્ર યુદ્ધલક્ષી જવાબ આપવાનો હતો, પરંતુ તે ભારતની તાકાત સામે ટકી શક્યું નહીં.
ભારત સામે જ પ્રશ્નો શા માટે?
એક તરફ દુનિયા ઓપરેશન સિંદૂરની સફળતાને માની રહી છે, તો બીજી તરફ કેટલાક આંતરિક અને વિદેશી તત્વો સતત ભારત સામે જ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે: કેટલા ફાઇટર જેટ ગુમાવ્યા? ભારતને શું નુકસાન થયું? પાકિસ્તાનમાં ઉજવણી શા માટે? જો ભારતે તમામ હુમલાઓના પુરાવા જાહેર કર્યા છે, તો આ પ્રશ્નો પાકિસ્તાનથી કેમ નથી પૂછવામાં આવતા?
CDS અનિલ ચૌહાણે સ્પષ્ટ કરી દીધું છે કે ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય અભિયાન નહીં, પણ ભારતની રણનીતિક દ્રષ્ટિ, તકનિકી શક્તિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું મજબૂત સ્થાન દર્શાવતું પગલું હતું.