Central Cabinet Meeting કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠકમાં બે મહત્વના મલ્ટીટ્રેકિંગ રેલ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી – ટ્રાફિક ઘટાડો, લોજિસ્ટિક્સમાં સુધારો અને પર્યાવરણને લાભ
Central Cabinet Meeting કેન્દ્રીય મંત્રીમંડળે 11 જૂન 2025ના રોજ ભારતના ત્રણ રાજ્યો ઝારખંડ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના સાત જિલ્લાઓને આવરી લેતા ₹6,405 કરોડના બે મોટા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ બંને મલ્ટીટ્રેકિંગ (ડબલ લેન) પ્રોજેક્ટ્સ દેશના લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માવજતરૂપ સાબિત થશે.
1. કોડરમા-બરકાકાના મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ (ઝારખંડ):
133 કિમીની આ લાઇનના ડબલીકરણ માટે ₹3,063 કરોડના ખર્ચ સાથે યોજના મંજૂર કરવામાં આવી છે. આ લાઇનથી પટના અને રાંચી વચ્ચેના રેલ કનેક્શનમાં સુધારો થશે અને ઝારખંડના કોડરમા, ચતરા, હજારીબાગ અને રામગઢ જિલ્લાઓને સીધી જોડાણ મળશે.
આ પ્રોજેક્ટની પર્યાવરણીય અસર પણ નોંધપાત્ર રહેશે. વૈષ્ણવે જણાવ્યું કે, “પ્રોજેક્ટથી 7 કરોડ વૃક્ષોની સરખામણીને યોગ્ય એવા સ્તરે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થશે અને દર વર્ષે 32 કરોડ લીટર ડીઝલ બચાવવામાં મદદરૂપ થશે.” આ રુટથી આશરે 15 લાખ લોકો અને 938 ગામડાઓને સીધો લાભ મળશે.
2. બલ્લારી-ચિકજાજુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ (કર્ણાટક-આંધ્રપ્રદેશ):
આ પ્રોજેક્ટ અંતર્ગત 185 કિમી લાઇનને ડબલ કરવામાં આવશે, જેમાં અંદાજે ₹3,342 કરોડનો ખર્ચ આવશે. આ માર્ગના વિકાસથી મેંગલોર બંદર સાથે લોજિસ્ટિક્સ કનેક્શન સુધરશે અને ભારે માલ પરિવહનમાં ઝડપ આવશે. રેલવે મંત્રીએ ઉમેર્યું કે, “અતિરિક્ત ટ્રાફિક ક્ષમતા અને ઝડપી પરિવહન માટે આ લાઇન મહત્વપૂર્ણ સાબિત થશે.”
લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો:
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન પરિવહન અને લોજિસ્ટિક્સને આધુનિક બનાવવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. IIM બેંગ્લોર અને કલકત્તાના અભ્યાસ અનુસાર, આવા રોકાણોથી દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં 4% સુધીનો ઘટાડો નોંધાયો છે.