લડાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ 20 ભારતીય જવાનોને માર્યા ત્યારબાદથી દેશમાં ચીની ઉત્પાદોના બહિષ્કાર માટે બૂમરાણ મચી છે ત્યારે બે કેન્દ્રીય પ્રધાનોએ ગુરુવારે લોકોને ચીની ઉત્પાદો ન ખરીદવા કહ્યું હતું. વેપારી સંસ્થા સીએઆઈટીએ બોલિવુડ અભિનેતાઓ સહિત સેલિબ્રિટીઝને ભારતીય શહીદ જવાનોના સન્માનમાં ચીની બ્રાન્ડની જાહેરાત કરવાનું બંધ કરવા અપીલ કરી છે અને તેમને સંસ્થાની ‘ભારતીય સામાન-હમારા અભિમાન’ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી હતી..
કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને લોકોને ચીની ઉત્પાદોના બહિષ્કારની અપીલ કરી હતી સાથે જ પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે રોજના ઑફિસ ઉપયોગ માટે કોઈ પણ ચીની વસ્તુઓ ન ખરીદવી જ્યારે તેમના સાથી મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું ચીની ભોજન પીરસતા તમામ રેસ્ટોરેન્ટ અને હોટેલને બંધ કરી દેવા જોઈએ અને ચીનમાં બનેલા ઉત્પાદોનો બહિષ્કાર કરવો જોઈએ.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું ભારતે હવે લાંબા સમય સુધી ચીન પર નિર્ભર રહેવું ન જોઈએ અને ઘરેલુ ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવું જોઈએ.‘ચીન એવો દેશ છે જે દગો આપે છે. ભારતે તે સમસ્ત ઉત્પાદોનો બહિષ્કાર કરવો જોઈએ જે ચીનમાં બનેલા હોય. ચીની ભોજન અને તમામ રેસ્ટોરેન્ટ અને હોટેલ જેઓ ભારતમાં ચીની ભોજન વેચે છે તે બંધ કરી દેવા જોઈએ’, એમ આઠવલેએ ટ્વીટ કરી કહ્યું હતું, તેઓ સામાજિક ન્યાય અને સશક્તિકરણના રાજ્ય કક્ષાના મંત્રી છે.તેમણે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
‘લડાખના ગલવાનમાં હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે સૈનિકોને હાર્દિક શ્રદ્ધાંજલિ. જવાનોની શહાદત બેકારન નહીં જાય. ભારત સરકાર અને સમસ્ત ભારતીયો શહીદ જવાનોના પરિવારની સાથે ઊભા છે’, એમ તેમણે હિન્દીમાં ટ્વીટ કરી કહ્યું હતું.માર્ચની શરૂઆતમાં આઠવલે સમાચારોમાં આવ્યા હતા જ્યારે તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ મુંબઈમાં એક પ્રાર્થના સભામાં ચીની રાજદૂત ટેંગ ગ્યુકેઈ અને બૌદ્ધ સંતો સાથે ‘ગો કોરોના ગો કોરોના’ સૂત્રોચ્ચાર કરતા નજરે પડયા હતા.
આ વીડિયો ગેટવે ઓફ ઈન્ડિયા પર 20 ફેબ્રુઆરીના રોજ કોરોના વાયરસના પ્રસારને અટકાવવા કરાયેલી પ્રાર્થના સભાનો હતો.કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું ભારતે હવે લાંબા સમય સુધી ચીન પર નિર્ભર રહેવું ન જોઈએ અને ઘરેલુ ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવું જોઈએ.વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું હતું તે ઘરે ઘરે જઈ લોકોને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરશે.