ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ડોકલામ પાસે ચીન દ્વારા પાછલા એક વર્ષમાં ચાર ગામ વસાવી લેવાનો કેસ સામે આવ્યો છે. જણાવી દઈએ કે, ભૂતાન અને ચીન વચ્ચે વિવાદીત સ્થાન પર ગામ વસાવવામાં આવ્યા. અસલમાં ચીની સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક શોધકર્તાએ નવી સેટેલાઈટ તસવીર ટ્વિટ કરવામાં આવી હતી. તે પછી આ મામલો સામે આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, તસવીરોમાં ભૂતાની વિસ્તારમાં ચીની ગામડાઓનું નિર્માણ દેખાઈ રહ્યું છે. ચીન અને ભૂતાનના વિવાદીત ક્ષેત્રમાં 2020 અને 2021 દરમિયાન નિર્માણ ગતિવિધિઓ દેખાઈ રહી છે. આ ગામડાઓ લગભગ 100 વર્ગ કિમીના વિસ્તારમાં વસાવેલા છે. ચીન દ્વારા ભરવામાં આવેલા આ પગલાઓ ભારત માટે ચિંતાજનક છે. અસલમાં ભૂતાનની સીમા સુરક્ષા માટે ભારત ત્યાં સીમિત સશસ્ત્ર દળ રાખે છે. આવી સ્થિતિમાં તેની અસર ભૂ-વ્યૂહાત્મક અસર પર પણ વધુ પડશે. તે જોતા ચીન દ્વારા કરવામાં આવેલા ગામડાઓનું નિર્માણ ભારતીય હિતો માટે યોગ્ય માનવામાં આવી રહ્યાં નથી.
ભૂતાનના ગામડાઓને વસાવવાને લઈને મુખ્ય વૈશ્વિક શોધકર્તાઓમાંથી એકે પોતાના ટ્વિટમાં લખ્યું, “ડોકલામ પાસે 2020-21 વચ્ચે ભૂતાન અને ચીન વચ્ચે વિવાદિત ભૂમિ પર નિર્માણ ગતિવિધિઓ ઉજાગર થાય છે. લગભગ 100 વર્ગ કિમીના દાયરામં અનેક નવા ગામ વસાવવામાં આવ્યા છે. શું ચીનના ક્ષેત્રીય દાવાઓને લાગૂ કરવા માટે આ પગલાઓ ભર્યા છે? જણાવી દઈએ કે વિવાદિત ક્ષેત્રમાં ચીન દ્વારા ગામડાઓનું નિર્માણ મે 2020 અને નવેમ્બર 2021 વચ્ચે કરવામા આવ્યો હતો.”
જ્યારે ભારત તરફથી થ્રી-સ્ટેપ રોડમેપ પર કડક પ્રતિક્રિયા આપવા કહેવામાં આવ્યું છે કે, અમે ભૂતાન અને ચીન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. તમે જાણો છો કે, ભૂતાન અને ચીન 1984થી સીમા વિવાદને લઈને વાર્તા કરી રહ્યાં છીએ. ભારત પણ આવી રીતની સીમાઓને લઈને ચીન સાથે વાટોઘાટો કરી રહ્યું છે.
જણાવી દઈએ કે, ભૂતાન ઉપરાંત અરૂણાચલ પ્રદેશ નજીક વિવાદિત વિસ્તારોમાં પણ ચીન દ્વારા 100 ઘરોવાળા ગામડાઓ વસાવવાના સમાચાર સામે આવ્યા હતા. અસલમાં ત્રણ નવેમ્બરે અમેરિકાન રક્ષા વિભાગના રિપોર્ટમાં એલએએસી પાસે અરૂણાચલ સેક્ટર નજીક વિવાદિત ક્ષેત્રમાં ચીન દ્વારા ગામ વસાવવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેને ભારતે ગેરકાયદેસર ગણાવ્યો હતો. ભારતે કહ્યું કે, આવી રીતની ગેરકાયદેસર કબ્જો કોઈપણ રીતે મંજૂર કરવામાં આવશે નહીં.