ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મમલ્લાપુરમમાં યોજાયેલ અનૌપચારિક મુલાકાત દુનિયાભરમાં ચર્ચા રહી પરંતુ ત્યારબાદ જિનપિંગનો નેપાળ પ્રવાસ ભારત-ચીન સંબંધમાં ફરી એકવખત અવિશ્વાસ માટે જગ્યા છોડી ગયો.
બેલ્ટ એન્ડ રોડની દુનિયાભરમાં થઇ રહેલી આલોચના છતાંય નેપાળની સરકાર તેમાં સામેલ થવા માટે ઉતાવળી છે. ચીનના બીઆરઆઈ અંગે આલોચકોનું કહેવું છે કે તેના અંતર્ગત ચીને કેટલાંય દેશોના વિકાસના નામ પર લોનની જાળમાં ફસાવી દીધા. જો કે નેપાળમાં લોકો રેલ રોડ અને અન્ય પ્રોજેક્ટસને દેશના પછાત અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવામાં મદદગાર માની રહ્યા છે. બીજીબાજુ આ દાવથી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાની તૂટતી લોકપ્રિયતા વધારવાના સપના પણ સજી રહ્યા છે.
નેપાળની ભારતની સાથે દક્ષિણ સરહદના ઉલટ નેપાળ-ચીનની સરહદ પહાડોથી ઘેરાયેલ છે આથી બંને દેશોના લોકોની વચ્ચે સંપર્ક સીમિત છે. ભારતના પ્રભાવ ક્ષેત્રમાં રહેલા નેપાળમાં હવે ચીને પોતાની પકડ મજબૂત કરવાનો દાવ ખેલ્યો છે.
નેપાળના એક કોલમનિસ્ટે એક લેખમાં કહ્યું હતુ નેપાળની ચારેયબાજુ જમીનથી ઘેરાયેલા હોવાના લીધે અને વેપાર પર સંપૂર્ણરીતે ભારત પર નિર્ભર હોવાની બેચેનીને નેપાળની ઓલી સરકારે રાષ્ટ્રવાદમાં ખૂબ આકર્ષયા છે.