કોરોના સંક્રમણને કારણે માર્ચથી આખા દેશમાં બંધ પડેલા સિનેમાહોલ ખોલવા સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે ઓગસ્ટથી સિનેમાઘરોને ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવશે.
સૂચના અને પ્રસારણ મંત્રાલય સચિવ અમિત ખરેએ સીઆઇઆઇ મીડિયા કમિટી સાથે વાતચીતમાં કહ્યું છે કે તેમણે ગૃહ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે ઓગસ્ટની શરૂઆત અથવા અંતિમ અઠવાડિયા સુધી ખોલવાની અનુમતિ આપવામાં આવે. આ મામલે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય તરફથી લેવામાં આવશે. મંત્રાલયે જે પ્રસ્તાવ મોકલ્યો છે, તેના અનુસાર એક સીટ છોડીને બેસનુ અને આગળની હરોળને ખાલી રાખવાનો વિકલ્પ સામેલ છે. ચાર મહીનાથી બંધના લીધે એક પણ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઇ શકી નથી. ઘણા મોટા બેનર પોતાની ફિલ્મોને ઓટીટી બેનર પર રિલીઝ કરી રહ્યા છે. તેનાથી સિનેમાઘરોના માલિકોને ખૂબ નુકસાન થઇ રહ્યું છે. હાલ તો સિનેમાઘરો માલિકોને ફિલ્મોને ઓટીટી પર રિલીઝ થવાનો વિરોધ પણ કર્યો હતો. કોરોનાના લીધે કોઇ સમાધાન નથી.