ગાયો માટે અલગ કેબિનેટ બનાવનાર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ગૌમૂત્ર અને છાણથી દેશની અર્થવ્યવસ્થા સુધારી શકાય છે. આ વાતો તેમને ભોપાલમાં પશુ ચિકિત્સક એસોસિએશનના મહિલા વિંગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કરી છે.
ભોપાલમાં આયોજિત કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વીડિયો સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યું. વીડિયોમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કહેતા જોવા મળે છે કે ગાય અને બળદ વગર કામ ચાલી શકે નહીં. સરકારે અભયારણ અને ગૌશાળાઓ બનાવી છે પરંતુ જ્યાર સુધી સમાજ જોડાશે નહીં ત્યાર સુધી સરકારી ગૌશાળાઓથી કામ ચાલશે નહીં.
#WATCH | Cows, their dung and urine can help strengthen the economy of the state and the country if a proper system is put in place,” says Madhya Pradesh CM Shivraj Singh Chouhan while addressing a convention of the women’s wing of Indian Veterinary Association in Bhopal pic.twitter.com/Mf2yvmYsf0
— ANI (@ANI) November 13, 2021
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે તેવું પણ કહ્યું કે, અમે મધ્ય પ્રદેશમાં ગાયો અંગે જાગૃત્તિ લાવવાની કોશિશ કરી રહ્યાં છીએ. સાથે જ તેમને કહ્યું કે, આપણે ઈચ્છીએ તો ગાયો અને ગૌમૂત્રથી પોતાની અર્થવ્યવસ્થાની મજબૂત બનાવી શકીએ છીએ અને દેશને આર્થિક રૂપથી સક્ષમ બનાવી શકીએ છીએ. તે આપણે સ્થાપિત કરવું પડશે. તેમને કહ્યું કે, જ્યાર મહિલાઓ આ ક્ષેત્રમાં આવી ગઈ છે તો મને લાગે છે કે, આપણી સફળતા સુનિશ્ચિત છે.
આ દરમિયાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણે તે પણ કહ્યું કે, છાણ- ગૌમૂત્રથી ખાતર-કિટનાશક અને દવાઓ પણ બની શકે છે. અમે લોકો કોશિશ કરી રહ્યાં છીએ કે, મધ્ય પ્રદેશના શ્મશાન ઘાટો પર લાકડીઓની જગ્યાએ છાણથી બનાવેલ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે. આનાથી ગૌશાળાઓ આત્મનિર્ભર થઈ રહી છે. છાણથી અન્ય ચીજો બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ.