ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્કીય ગિતિવિધિઓ ગતિમાન બની છે. ચૂંટણીને જોતા તમામ રાજ્કીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે. જેને લઇ તમામ પાર્ટીઓ કમર કસી છે. ભાજપ દ્રારા 150 બેઠકોને અંકે કરવાના સંકલ્પ સાથે આ વખતે મેદાનમાં ઉતરી છે. તો બીજી તરફ આ બેઠકો જીતવા ભાજપ માટે પડકારો પણ ઉભો થયા છે.કેમકે આ વખતે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને જોવા મળશે આદિવાસી બેઠકોને આર્કષવા ભાજપ દ્રારા ઓપરેશન લોટસ ચલાવામાં આવી રહ્યો છે, જેમાં આદિવાસી નેતાઓને પોતાની તરફ રિઝવવા ભાજપ સફળ થતી જોવા મળી રહી છે. તો બીજીતરફ કોંગ્રેસ હજુ પણ સુસ્ત અવસ્થામાં જોવા મળી રહી છે. ભાજપ કોંગ્રેસના ગઢમાં પોતાની પકડ મજબૂત કરતી દેખાઇ રહી છે. ગુજરાત વેન્ટિલેટરમાં રહેલી કોંગ્રેસને ફરી જીવિત કરવા કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલગાંધી 1 જુનથી ગુજરાત આવશે અને 2022 ચૂંટણીને લઇ નવી રણનિતી તૌયાર કરશે 1જુનથી કોંગ્રેસ સક્રિય થઇ આદિવાસી વિસ્તારોમાં પોતાનો શક્તિ પ્રદર્શન કરશે એક બાદ એક આદિવાસી નેતાઓની ભાજપ તરફ ઝોકાવાને લઇ કોંગ્રેસની ચિંતાઓમાં પણ વધારો થયો છે. હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આદિવાલીને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ દ્રારા ખેડાબ્હ્મા અને ભિલોડાની સીટો પર પ્રભુત્વ મેળવવા ફરી એકશનમોડમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં પણ યુપી વાળી કરશે ભાજપ તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. યુપીમાં હિન્દુતત્વ કાર્ડ ભાજપને ખૂબ ફળ્યો હતો જેમાં બીજી વખત ભાજપે પોતાની સરકાર બનાવી હતી આજ પેટર્ન સાથે ભાજપ ગુજરાતમાં અપનાવી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ સોફ્ટ હિંન્દુત્વ અપનાવશે જે માટે શહેરી વિસ્તારમાં કથાઓ તથા આરતીઓનું આયોજન કરશે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં પણ સામુહિક આયોજન કરશે. ચૂંટણી નજીક જોતા કોંગ્રેસ પણ હવે એકશનમોડ જોવા મળી રહી છે, જોવાનું એ રહ્યુ કે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ પોતાની સીટો બચાવી શકશે કે પછી આમ આદમી પાર્ટી મેદાન મારશે તે આગામી સમય બતાવશે