PM CARES FUNDની શરૂઆત 2.25 લાખ રૂપિયાની રકમ સાથે થઇ હતી. પરંતુ આના શરૂ થવાના 5 દિવસની અંદર જ ફંડને દેશ-વિદેશથી ખુબ જ સમર્થન મળ્યું. 5 દિવસમાં જ ફંડમાં ભારત અને વિદેશથી યોગદાનના રૂપમાં 3,076 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આ વાતનો ખુલાસો પીએમ કેર્સ ફંડના પહેલા ઑડિટ બાદ સામે આવ્યો છે. ફંડને SARC & Associates દ્વારા ઑડિટ કરવામાં આવ્યું. નોંધપાત્ર છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા પીએમ કેર્સ ફંડની સ્થાપના 27 માર્ચના જ થઇ ગઈ હતી.
જો કે હાલ એ વાતની જાણકારી આપવામાં આવી નથી કે ફંડમાં કોણે કેટલું યોગદાન આપ્યું છે. જણાવી દઈએ કે ફંડના પહેલા ટ્રસ્ટી નરેન્દ્ર મોદી(Narendra Modi), ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah) અને નાણા મંત્રી નિર્મલા સીતારમન(Nirmala Sitaraman) છે. ફંડના ઑડિટ કર્યા બાદ પીએમઓ દ્વારા જારી નિવેદનમાં નાણાકીય વિવરણની જાણકારી આપવામાં આવી હતી પરંતુ ફંડમાં રાહત રકમ મોકલનારાના નામો પર કોઈ પ્રકારની જાણકારીને સાર્વજનિક કરવામાં આવી ન હતી.
આંકડા અનુસાર પીએમ કેર્સ ફંડમાં 31 માર્ચ સુધી સ્વૈચ્છિક યોગદાન 3075.85 કરોડ રૂપિયા હતું. ફંડને આ રાશિ પર 35.32 લાખ રૂપિયા વ્યાજ મળ્યું હતું. મળતી માહિતી મુજબ, વિદેશથી મોકલવામાં આવતા નાણાંના ચલણ રૂપાંતર પર 2,049 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. 31 માર્ચ સુધી પીએમ કેર્સ ફંડમાં 3076.62 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ દેશમાં મંગળવારે કોરોના સંક્રમિતોની સંખ્યા 37 લાખને પાર થઇ હતી. હાલ સુધી 37 લાખ 69 હજાર 524 લોકો આ વાયરસના સંક્રમણની ચપેટમાં આવ્યા. ગત 24 કલાકમાં 78 હજાર 357 નવા દર્દીઓ સામે આવ્યા. મંગળવારે 1,045 સંક્રમિતોની મૌત પણ થઇ ગઈ. તો 62 હજાર 146 લોકો હોસ્પિટલથી ડિસ્ચાર્જ પણ કરાયા. સંક્રમિતોના આંકડામાં ગત છ દિવસમાં અને મૌતના આંકડામાં ગત 28 દિવસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.