ગત 24 કલાકમાં દેશને હચમચાવી નાખનાર કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. કોરોનાકાળ (Corona Epidemic) એટલો ભયંકર સ્વરૂપ ધારણ કરશે તેની કલ્પના ન હતી પરંતુ તે હવે શક્ય થઈ ચૂક્યુ છે. થોડાક જ દિવસની વાત છે જ્યારે 30 હજારનો આંકડો ચોંકાવનારો હતો, પછી 50 હજારનાં આંકડાએ દેશને હલાવી નાખ્યો અને હવે દિનપ્રતિદિન 50 હજારનાં ઉપર કેસો (Corona Cases) નોંધાઈ રહ્યા છે.
ગત 24 કલાકમાં 52972 કેસો નોંધાયા છે જેની સાથે દેશમાં કુલ કોરોનાનો આંકડો 18 લાખને વટાવી ચૂક્યો છે. ગત 24 કલાકમાં રિકવર થયેલા દર્દીઓ (Corona Patients) ની સંખ્યા 40574 છે અને તે સાથે દેશમાં કુલ 11 લાખ 86 હજાર 203 દર્દીઓએ કોરોનાને માત (Beat the corona) આપી છે. દેશમાં ગત 24 કલાકમાં કુલ 771 લોકોના કોરોના વાયરસ (Corona Virus) નાં લીધે મોત થયા છે.
દેશમાં કોરોનાગ્રસ્ત ત્રણ રાજ્યોમાં પ્રથમ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ (Maharashtra, Andhra Pradesh and Tamil Nadu) શામેલ છે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 9509 કેસો, આંધ્રપ્રદેશમાં 8555 કેસો અને તમિલનાડુમાં 5875 કેસો નોંધાયા હતા. તે સિવાય દિલ્હીમાં 961, કર્ણાટકમાં 5532, ઉત્તરપ્રદેશમાં 3873, પશ્રિમ બંગાલમાં 2739, તેલંગાનામાં 1891, ગુજરાતમાં 1099, બિહારમાં 2784, રાજસ્થાનમાં 1158 કેસો નોંધાયા છે.
આસામમાં 1178, હરિયાણામાં 761, ઓડિસામાં 1434, મધ્યપ્રદેશમાં 921 અને કેરેલામાં 1169 કેસો નોંધાયા હતા. જ્યારે ગત 24 કલાકમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં 260, આંધ્રપ્રદેશમાં 67, તમિલનાડુમાં 98, દિલ્હીમાં 15, કર્ણાટકમાં 84, ઉત્તરપ્રદેશમાં 53, પશ્રિમ બંગાલમાં 49, તેલંગાનામાં 10, ગુજરાતમાં 22, બિહારમાં 20, રાજસ્થાનમાં 13, આસામમાં 4, હરિયાણામાં 5, ઓડિસામાં 10, મધ્યપ્રદેશમાં 10, પંજાબમાં 18, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 5 દર્દીઓનાં મોત (Corona Paatients Death) નોંધાયા છે.