ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દેશભરના પ્રથમ તબક્કાના સીરો સર્વે (Sero Survey)નું પરિણામ જાહેર કરી દીધુ છે. આ પરિણામ ચોંકવાનારા છે. સર્વે પ્રમાણે, મે મહિના સુધી દેશમાં લગભગ 64 લાખ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે.
પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે આ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો છે. મેં મહિના સુધી 0.73 ટકા પુખ્ત એટલે કે 64 લાખ (64,68,388) લોકોના કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સર્વેનું અનુમાન છે કે, RT-PCR ટેસ્ટથી કોરોનાના દરેક કેસની પુષ્ટિ માટે ભારતમાં 82-130 સંક્રમણ હતો. સેરો સર્વેથી જાણવા મળ્યું છે કે, ગામમાં અંદાજે 44 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.
ICMRના જણાવ્યા પ્રમાણે, આ સર્વે 11 મે થી 4 જૂન વચ્ચે કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન 4,28,000 પુખ્ય વયના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. આ સર્વે રાજ્યોના 70 જિલ્લાઓમાં કરાવવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં થયો. વિસ્તારની દ્રષ્ટિએ પોઝિટિવિટી રેટ જેમનો તેમ જ રહ્યો. જેમાં ગ્રામણી- 69.4%, શહેરી સ્લમ એરિયા-15.9%, શહેરી નૉન સ્લમ એરિયા 14.6%. ઊંમરના પ્રમાણે પોઝિટિવિટી રેટ આ પ્રકારે રહ્યું. 18-45 વર્ષ 43.3 ટકા, 46.60 વર્ષ- 39.5 % અને 60 વર્ષની ઉપરના 17.2 % છે.