દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ઝડપીથી વધી રહ્યો છે. હાલ સુધી 46 લાખ 57 હજાર 379 લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. શુક્રવારે 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર 654 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. એક દિવસમાં મળેલો સંક્રમીતોનો આ આંકડો સૌથી વધુ છે. અગાઉ ગુરુવારે 96 હજાર 760 નવા દર્દીઓ મળ્યા હતા.
દરમિયાન ખુશી ની વાત એ છે કે દર્દીઓની સાજા થવાની ગતિ પણ વઘી રહી છે. શુક્રવારે રેકોર્ડ 81 હજાર 455 લોકોને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. એક દિવસમાં સાજા થનારની આ સૌથી વધુ સંખ્યા છે. અગાઉ 8 સપ્ટેમ્બરે 74 હજાર 607 લોકો સાજા થયા હતા. આ સાથે સાજા થનારની સંખ્યા હવે 36 લાખ 21 હજાર 438 થઇ ગઈ છે.
દેશમાં મૃત્યુદરમાં ઘટાડો થઇ રહ્યો છે. ગત આઠ દિવસમાં 1.70 ટકાથી ઘટીને 1.67 ટકા પર આવી ગયો છે. પરંતુ પંજાબ, છત્તીસગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ અને આસામના વધતા મૃત્યુદરે ચિંતામાં મૂકી દીધા છે. બીજી બાજુ સૌથી પ્રભાવિત રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, તેલંગણા જેવા રાજ્યોમાં આ દર ઝડપીથી ઓછો થઇ રહ્યો છે.
સંક્રમણના ચાલતે હાલ સુધી 77 હજાર 506 લોકો મૃત્યુ પામ્યા છે. તેમાં 1202 દર્દીઓની મૌત શુક્રવારે થઈ હતી. હાલ 9 લાખ 57 હજાર 787 દર્દીઓ એવા છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અથવા હોસ્પિટલમાં દાખલ છે. આમાં લગભગ 9 હજાર દર્દીઓની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (DCGI) કોરોના વેક્સિનના તબક્કા-2 અને 3 ના ટ્રાયલમાં કોઈ પણ નવા દર્દીઓની ભરતી પર પ્રતિબંધ મૂક્યો છે. શુક્રવારે ડીસીજીઆઈએ તેના માટે આદેશ જારી કર્યો હતો. આગલા આદેશ સુધી ટ્રાયલ માટે કોઈ પણ નવા દર્દીઓની ભરતી ન કરવામાં આવે. આ નોટિસના જવાબમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે જ્યાં સુધી વેક્સિનની સુરક્ષાની સ્થિતિ સાફ નહીં થશે, ત્યાં સુધી કોઈ નવા દર્દીઓ પર ટ્રાયલ કરવામાં નહીં આવશે.