કોરોના કેસમાં અમેરિકા પછી ભારત બીજે નંબરે આવી રહ્યાના અણસાર મળી રહ્યા હતા. બીજી સપ્ટેંબરથી રોજ સરેરાશ હજાર વ્યક્તિનાં મરણ થઇ રહ્યાં હતાં. છેલ્લાં ચોવીસ કલાકમાં દેશમાં 83,809 નવા કેસ થયા હતા. આ પહેલાં 11મી સપ્ટેંબરે ચોવીસ કલાકમાં 97,570 કેસ થયા હતા. જો કે છેલ્લા ચોવીસ કલાકમાં 79, 2929 દર્દી સાજા થઇને ઘેર પાછા ફર્યા હતા એ સારા સમાચાર હતા
38 લાખ 59 હજાર લોકો સાજા થઇ ગયા
કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યા મુજબ હવે દેશમા કોરોના સંક્રમિતોનો આંકડો 49 લાખ 30 હજારથી વધુ થઇ ગયો હતો. એમાંના 80 હજાર 776 લોકોનાં મરણ થઇ ચૂક્યાં હતાં. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 90 હજારની થઇ હતી અને 38 લાખ 59 હજાર લોકો સાજા થઇ ગયા હતા.