ગુજરાતમાં કોરોના વાયરસ એક વખત ફરીથી માથુ ઉચકી રહ્યું છે. કોરોનાના કેસોમાં ફરીથી વધારો જોવા મળતા તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. આજે છેલ્લા 24 કલાકમાં 70 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 28 લોકો સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,17,389 લોકો સાજા થઈ ચૂક્યા છે. જેના કારણે રિકવરી રેટ 98.73 ટકા થયો છે.
ગુજરાતમાં 459 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 451 લોકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,389 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકો પોતોના જીવ ગુમાવી ચૂક્યા છે. જો કે રાહતની વાત તે છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નિપજ્યું નથી.
રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 09, વડોદરા 6, વડોદરા કોર્પોરેશન 6, નવસારી 5, વલસાડ 5, આણંદ 4, કચ્છ 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપી 1 આ પ્રકારે રાજ્યભરમાં કુલ 70 કેસ નોંધાયા છે.