દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1684 નવા કેસો સામે આવ્યા છે, જ્યાકે 37 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આકંડા પ્રમાણે, નવા 1684 નવા કેસો સાથે જ દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23,077 થઈ ગઈ છે. જ્યારે આ જીવલેણ વાઈરસથી મોતને ભેટેલા લોકોનો આંકડો વધીને 718 પર પહોંચ્યો છે.
દેશના 23077 કેસોમાંથી 17,610 એક્ટિવ કેસો છે, જ્યારે 4848 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોરોના વાઈરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, જ્યાં અત્યાર સુધીમાં 7533 કેસો નોંધાયા છે, તો 283 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા
ક્રમ | રાજ્ય | કુલ કેટલા કેસો નોંધાયા? | કુલ કેટલા લોકોના મોત? |
1 | મહારાષ્ટ્ર | 6430 | 283 |
2 | કેરલ | 447 | 3 |
3 | દિલ્હી | 2376 | 50 |
4 | આંધ્ર પ્રદેશ | 895 | 27 |
5 | આંદામાન-નિકોબાર | 22 | 0 |
6 | અરૂણાચલ પ્રદેશ | 1 | 0 |
7 | અસમ | 36 | 1 |
8 | બિહાર | 153 | 2 |
9 | ચંદીગઢ | 27 | 0 |
10 | છતીસગઢ | 36 | 0 |
11 | ગોવા | 7 | 0 |
12 | ગુજરાત | 2624 | 112 |
13 | હરિયાણા | 272 | 3 |
14 | હિમાચલ પ્રદેશ | 40 | 1 |
15 | જમ્મુ-કાશ્મીર | 427 | 5 |
16 | કર્ણાટક | 445 | 17 |
17 | લદ્દાખ | 18 | 0 |
18 | મધ્ય પ્રદેશ | 1699 | 83 |
19 | મણિપુર | 2 | 0 |
20 | મિઝોરમ | 1 | 0 |
21 | ઓડિશા | 90 | 1 |
22 | પુડુચેરી | 7 | 0 |
23 | પંજાબ | 277 | 16 |
24 | રાજસ્થાન | 1964 | 27 |
25 | તમિલનાડુ | 1683 | 20 |
26 | તેલંગાણા | 960 | 24 |
27 | ઉત્તરાખંડ | 47 | 0 |
28 | ઉત્તર પ્રદેશ | 1510 | 24 |
29 | પશ્ચિમ બંગાળ | 514 | 15 |
30 | ત્રિપુરા | 2 | 0 |
31 | મેઘાલય | 12 | 1 |
32 | ઝારખંડ | 53 |