દુનિયાનાં બાકીનાં દેશોની સામે ભારતમાં કોરોના વાયરસની ઝડપ ના ફક્ત ઓછી રહી છે, પરંતુ બીમારીમાંથી બહાર આવનારા લોકોની સંખ્યા પણ વધારે છે. દેશનો રિકવરી રેટ અત્યારે 55.77 ટકા છે જે અમેરિકા, બ્રાઝિલ, રશિયા જેવા દેશોથી ઘણો સારો છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોનાનાં 4.25 લાખ કેસોમાંથી 2.37 લાખથી વધારે રિકવરી થઈ ચુકી છે. આ ઉપરાંત વસ્તીની સંખ્યા પ્રમાણે કોરોનાને કાબૂ કરવામાં ભારતે સારું પ્રદર્શન કર્યું
સ્વાસ્થ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની એક રિપોર્ટને આધાર બનાવ્યો છે. આ પ્રમાણે ભારત પોતાના ઉચ્ચ વસ્તી ગીચતા છતા પ્રતિ લાખ વસ્તી પર સૌથી ઓછા કોરોના કેસની યાદીમાં સામેલ છે. ભારતમાં પ્રતિ એક લાખ વસ્તી પર 30.04 કેસ છે, જ્યારે ગ્લોબલ એવરેજ આની ત્રણ ગણાથી પણ વધારે 114.67 છે. કોઇપણ દેશમાં કોરોનાનો રિકવરી રેટ ઠીક થઇ ચુકેલા દર્દીઓની સરખામણીમાં ત્યાં કુલ દર્દીઓની સંખ્યાનો ગુણોત્તર છે. માની લો કે કોઈ દેશમાં 100 કેસ સામે આવ્યા છે, જેમાંથી 40 રિકવર થઈ ચુક્યા છે તો એ દેશનો રિકવરી રેટ 40 ટકા છે. રિકવરી રેટથી કોઇપણ દેશમાં કોરોનાની સ્થિતિની ભયંકરતાનો અંદાજો મળે છે.