ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 11,271 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ કોરોના સંક્રમણને કારણે 285 લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે એક દિવસમાં 555 લોકોના મોત થયા હતા. જોકે, આજે કોરોનાથી મરનારાઓની સંખ્યામાં ઘરખમ ઘટાડો થતાં રાહત મળી છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ-
ભારતમાં કુલ કેસ – 3,44,37,307
ભારતમાં કુલ સક્રિય કેસ – 1,35,918
ભારતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા – 3,38,37,859
ભારતમાં કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ – 4,63,530
ભારતમાં અત્યાર સુધીમાં કુલ રસીકરણ – 1,12,01,03,225