ઈઝરાયેલના વૈજ્ઞાાનિકોની એક ટીમ વિશેષ વિમાનમાં ભારત આવી રહી છે, જે લાખો લોકો પર આ ટેકનિકથી ટેસ્ટ કરશે. ભારતમાં આ ટેકનિક સફળ થશે તો માત્ર 30 સેકન્ડમાં કોરોનું ટેસ્ટિંગ થઈ શકશે. જે ટેકનિકથી ભારતમાં ટેસ્ટ થવાના છે તેમાં કોઈ વ્યક્તિના અવાજથી લઈને શ્વાસના માધ્યમથી કોરોનાના સંક્રમણની ઓળખનો સમાવેશ થાય છે.
જોકે, હજીર સરકારના સ્તરે ઈઝરાયેલની ટીમના આગમન અંગે કોઈ પુષ્ટી મળી નથી. પરંતુ દૂતાવાસ તરફથી આ દાવો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલ સરકારના જણાવ્યા મુજબ આગામી સપ્તાહોમાં ઈઝરાયેલના વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે અભૂતપૂર્વ એન્ટી કોરોના સહયોગ અભિયાન ચલાવવામાં આવશે.
ઈઝરાયેલની આ ટીમ ભારતના સંરક્ષણ બાબતોની સંસૃથા ડીઆરડીઓ સાથે કામ કરશે. આ ટીમ ભારતના મુખ્ય વૈજ્ઞાાનિક વિજય રાઘવન અને ડીઆરડીઓ સાથે 30 સેકન્ડમાં રેપિડ ટેસ્ટિંગ પર કામ કરી રહી છે. ઈઝરાયેલથી મિકેનિકલ વેન્ટિલેટર પણ લાવવામાં આવશે. આ ટીમ ઈઝરાયેલમાં વિકસિત કોરોનાની અત્યાધુનિક ટેસ્ટિંગ ઉપકરણોની ઉપયોગીતાની તપાસ કરશે.
10 દિવસ સુધી લાખો લોકો પર પરીક્ષણ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત વિશ્લેષણના માધ્યમથી તપાસ કરાશે કે આ ટેસ્ટ કરોોના સંક્રમણની ઓળખ કરવા માટે કેટલા સચોટ છે. આ બધા ટેસ્ટ ઈઝરાયેલમાં સફળ થયા હોવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ હવે ભારતમાં તેની તપાસ કરાશે.