નવી દિલ્હી : લોકો એઇમ્સમાં કોરોનાની એન્ટિ રસી (વેક્સીન)ના માનવ અજમાયશ (હ્યુમન ટ્રાયલ)માં સામેલ થવા માટે જાને સ્પર્ધામાં ઉતરી રહ્યા છે. એઈમ્સ એથિક્સ કમિટીએ 18 જુલાઈ, શનિવારે માણસો પર કોવિડ -19 સ્વદેશી રીતે વિકસિત રસી કોવાક્સિનના પરીક્ષણને મંજૂરી આપી હતી, ત્યારબાદ હોસ્પિટલે લોકોને વોલેન્ટિયર્સ બનવાની અપીલ કરી હતી. એઈમ્સની અપીલના થોડા કલાકોમાં હજારો લોકોએ અરજી ફોર્મ ભરી દીધા હતા. જ્યારે એઇમ્સમાં, આ તબક્કાના એક ટ્રાયલમાં ફક્ત 100 લોકોને શામેલ કરી શકાય છે. એઈમ્સમાં કોવીડ વેક્સીન પ્રોજેક્ટમાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અને કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો. સંજય રાયે જણાવ્યું હતું કે, ટ્રાયલ માટે વોલેન્ટિયર્સ બનવા માટે જે ફોન નંબર જારી કરવામાં આવ્યો હતો તેના પર વારંવાર કોલ આવે છે અને લોકો તેમાં જોડાવાનું કહી રહ્યા છે.
લોકોનો ઉત્સાહ જોવા લાયક
પ્રોફેસર ડો. સંજય રાયે કહ્યું કે, લોકો જે રીતે સંપર્ક કરી રહ્યા છે અને આ ટ્રાયલમાં જોડાવા માંગે છે, તેમનો ઉત્સાહ આપણા માટે કોઈ જોશથી ઓછો નથી. તેમણે જણાવ્યું હતું કે ઘણા લોકો ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા પણ સંપર્ક કરી રહ્યા છે અને અમારો પ્રયાસ છે કે દરેકને જવાબ આપીએ.
વોલેન્ટિયર્સનું લિસ્ટ તૈયાર કરાશે
ડો. સંજય રાયે કહ્યું કે, અમે પહેલા વોલેન્ટિયર્સનું લિસ્ટ તૈયાર કરીશું, ત્યારબાદ નમૂના લેવા માટે એક – એકને બોલાવવામાં આવશે. જે લોકો ટ્રાયલમાં સામેલ થશે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જો નેગેટિવ જણાશે તો જ તેઓને ટ્રાયલમાં શામેલ કરવામાં આવશે. મતલબ કે જેમને પહેલાથી ચેપ લાગ્યો છે તેમને આ ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, ઘણા વધુ પ્રકારના પરીક્ષણો કરવામાં આવશે, જેના માટે તેમના લોહીના નમૂના લેવામાં આવશે. બધા રિપોર્ટ યોગ્ય હોવાનું જાણવા મળ્યા પછી જ તેઓને ટ્રાયલમાં શામેલ કરવામાં આવશે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ મનુષ્ય પર કોવાક્સિનના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણ માટે દિલ્હી સ્થિત એઇમ્સ સહિત 12 સંસ્થાઓની પસંદગી કરી છે.