કોરોનાની મહામારી વચ્ચે ગત દિવસોમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની તરફથી તૈયાર કરવામાં આવેલ કોરોનિલ દવા ખુબ જ કારગર છે. જેને લઈ વિવાદ પણ ઉભો થયો હતો, અને બાદમાં રામદેવે કહ્યુ હતું કે, કોરોનિલ દવા ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. રામદેવનું માનીએ તો, પતંજલિ આયુર્વેદને કોરોનિલ માટે દરરોજ 10 લાખ પેકેટની માગ મળી રહી છે.
બાબા રામદેવે બુધવારે કહ્યું કે, હરિદ્વાર સ્થિત આ કંપની માગને પૂરા કરવા માટે ઝઝૂમી રહી છે, કેમ કે અત્યારે રોજના એક લાખ પેકેટની આપૂર્તિ કરી રહી છે. તેઓએ દાવો કર્યો કે, આજે અમારી પાસે રોજ કોરોનિલના 10 લાખ પેકેટની માગ છે અને અમે ફક્ત એક લાખ જ પેકેટની આપૂર્તિ કરી શકીએ છીએ. રામદેવે કહ્યું કે, પતંજિલ આયુર્વેદે તેની કિંમત 500 રૂપિયા રાખી હતી. કોરોના કાળમાં જો અમે તેની કિંમત 5000 રૂપિયા લગાવી હોત તો અમે સરળતાથી 5000 કરોડ રૂપિયા કમાવી શકતા હતા. પણ અમે તેવું કર્યું ન હતું.