નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,603 નવા કેસ નોંધાયા છે. ભારતમાં હાલમાં 99,974 સક્રિય કેસ છે. જ્યારે રિકવરી રેટ 98.35 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 8,190 લોકો સાજા થયા છે. આમ સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,53,856 થઈ ગઈ છે. તો બીજી તરફ દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 126.53 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારના જોખમને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. દરમિયાન, છેલ્લા ત્રણ દિવસમાં, ઓમિક્રોન વેરિઅન્ટના 12 શંકાસ્પદ લોકોને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ લોકો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં. તમામ લોકોને દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.