નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 8,895 કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસ પહેલાની સરખામણીએ દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલે 8,603 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ગત દિવસની સરખામણીએ ઓછી રહી છે. છેલ્લા 24 કલાકમાં 6,918 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આના કારણે, કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,60,774 થઈ ગઈ છે.
આ ઉપરાંત દેશમાં મૃત્યુને લઈને જે માહિતી સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2,796 નોંધાયો છે. આમાં બિહારે મૃત્યુના બેકલોગનો આંકડો સામેલ કરવામાં છે. બિહારમાં અગાઉ કોરોનાના કારણે મૃત્યુ પામેલા 2,426 લોકોના આંકડા આજે સામેલ કરવામાં આવ્યા હતા.
COVID19 | India reports 8,895 new cases, 2796 deaths in the last 24 hours, active caseload at 99,155.
2,426 reconciled deaths by Bihar adjusted in today’s database. Also, Kerala clears backlog of 263 deaths. Hence deaths showing a spike: Ministry of Health & Family Welfare pic.twitter.com/hZ3A36Nv9f
— ANI (@ANI) December 5, 2021
આ સાથે જ કેટલાક દિવસોથી એક્ટિવ કેસ 99 હજારથી એક લાખની વચ્ચે રહ્યા છે. હવે દેશમાં સક્રિય કેસ વધીને 99,155 થઈ ગયા છે, જે કુલ કેસના એક ટકા કરતા પણ ઓછા છે. હાલમાં તે 0.29 ટકા છે અને 2020 પછી સૌથી નીચો છે.